________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંકચૂલની કથા
૩૯ વાત કરી કહ્યું કે નદીમાં પાર્શ્વનાથની પ્રતિમા છે. વંકચૂલ ખુબ રાજી થયું. તેણે ખલાસીને ખુબ ઈનામ આપી તેની પાસેથી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા કઢાવી અને તેણે પિતાના બનાવેલ મંદિરના બહારના મંડપમાં પધરાવી. નવું મંદિર બંધાવવા માંડયું. મંદિર થોડા જ વખતમાં પૂર્ણ થયું. પ્રતિષ્ઠા વખતે તેણે તે બહાર રહેલ પાર્શ્વનાથની પ્રતિમાને ઉપાડવા માંડી પણ તે પ્રતિમા ન ઉપડી તેથી તે પ્રતિમા ત્યાંજ રાખી અને આજે પણ ત્યાંજ છે.
વંકચૂલને આ પાર્શ્વનાથની પ્રતિમા નદીમાં કયાંથી આવી અને કોણે અહિં પધરાવી હશે તે જાણવાની ઈચ્છા થઈ તેથી તેણે એક વખત સભા વચ્ચે પુછ્યું કે “આને કેઈ વૃત્તાંત જાણે છે ખરૂં?”
એક વૃદ્ધ ખલાસી છે. “પહેલાં એક પ્રજા પાળ રાજા હતો તે યુદ્ધ કરવા ગયે ત્યારે તેની રાણીને લાગ્યું કે રાજ્યમહેલમાં રહેવાથી જોખમ છે. તેથી એક સેનાને રથ અને બે પ્રતિમા લઈ ચર્મવતી નદીની વચ્ચે રાણીએ વાસ કર્યો. રાણી રે જ આ જિનેશ્વર ભગવંતની પ્રતિમાની પૂજા કરતી હતી પણ અચાનક તેના કાને સમાચાર આવ્યા કે રાજા મૃત્યુ પામ્યા છે. આથી રાણીને આઘાત થયે અને તે રથ અને પ્રતિમા સાથે રાણીએ નદીમાં પડતું મુકયું. પણ અંતે શુભ અધ્યવસાય હોવાથી તે પ્રતિમાના અધિષ્ઠાયક દેવ તરીકે ઉત્પન્ન થઈ છે. વંકચૂલ! આ પાર્શ્વનાથની પ્રતિમા નીકળી છે પણ હજુ આ નદીમાં બીજી એક પ્રતિમા અને સુવર્ણ રથ હવે જોઈએ.
For Private And Personal Use Only