________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે બેલ
જૈન સાહિત્યમાં અનેકવિધ કથા સાહિત્ય છે. આ કથા સાહિત્ય ભિન્ન ભિન્ન આશયથી રચાયેલું છે. પ્રબન્ધ ચિંતામણિ, પ્રબન્ધ કેષ વિગેરે સાહિત્યમાં કથાઓ છે પણ તે બધી કથાઓમાં ધર્મ પ્રભાવક પુરુષોના જીવન ચરિત્ર સાથે ઈતિહાસની સંકલના છે. શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધપ્રતિક્રમણ શ્રાદ્ધગુણ વિવરણ શીપદેશમાળા, ઉપદેશમાળા ધર્મ. કલ્પમ વિગેરે ગ્રંથોમાં જે કથા સાહિત્ય છે તે કથા સાહિત્ય આચાર્ય ભગવંતોએ ઉપદેશ આપતાં ઓપદેશિક વસ્તુને દઢ કરવા આપેલું છે. આ કથા સાહિત્ય પાછળ કથા વસ્તુ મુખ્ય નથી પણ ઉપદેશ મૂખ્ય છે. વ્યવહારસૂત્ર વિગેરેમાં આપવામાં આવેલી કથાઓ શાસ્ત્રીય વસ્તુને સમજાવવા ઉપનય માટે તે આપેલી છે.
ઝીણવટ ભર્યું કેઈ પણ તત્ત્વજ્ઞાન સમજાવવામાં દૃષ્ટાન્ત ખાસ આવશ્યક રહે છે તેમ તત્વજ્ઞાન ધર્મ કે નીતિની કઈપણ વસ્તુને શ્રોતાને હૃદયગત કરવા તે વસ્તુની કથા પણ તેટલી જ આવશ્યક રહે છે. આથી આપણું પૂર્વાચાર્યોએ આપણા પ્રાચીન ગ્રંથમાં અનેકવિધ કથાસાહિત્ય ગુંચ્યું છે. - આપણું આ પ્રાચીન કથાસાહિત્ય ખુબ વ્યવસ્થિત નિર્મળ પરે પકારી અને વાંચકની હૃદયની ઉમિને ધારેલ ઠેકાણે લઈ જવામાં સફળ થાય તેમ છે.
For Private And Personal Use Only