________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્ણુકુમાર
૨૭
નસુચિને હવે ઉજ્જૈનીમાં રહેવુ ઠીક ન લાગ્યું. તેથી એક રાતે કાઇને પુછ્યા ગાઠ્યા વિના ઉજ્જૈની ડી હસ્તિનાપુર ગયા.
( ૨ ) હસ્તિનાપુરમાં આ વખતે પદ્મોત્તર રાજાનું રાજ્ય હતું. આ રાજાને વિષ્ણુકુમાર અને મહાપદ્મ નામના એ પુત્રા હતા. નમુચિએ હસ્તિનાપુરમાં પગ મુકતાની સાથે સિંહુબળ નામના એક ભયંકર રાજ્યના શત્રુના પરાભવ કર્યાં. આને પરિણામે તે મહાપદ્મના પ્રીતિપાત્ર થયા. મહાપદ્મ નમુચિને તે વખતેજ કહ્યું કે ‘નમુચિ ! તુ માગે તે આપુ’ પણ નચિએ અવસરે જોઇશ એમ કહી પતાવ્યું, આ પછી નમુચિ હસ્તિનાપુરના પ્રધાન થયે.
(૩)
પદ્મોત્તર રાજાને જ્વાળાદેવી અને લક્ષ્મી નામે એ રાણીએ હતી. જ્વાળાદેવા જન ધર્માંના ઉપર રાગવાળી હતી અને લક્ષ્મી બ્રાહ્મણ ધર્મો ઉપર રાગવાળી હતી. હસ્તિનાપુરમાં આસા મહીનામાં રથયાત્રા નીકળતી. વાળાદેવ કહે કે મારો રથ પહેલે અને લક્ષ્મીદેવિ કહે કે મારા રથ પહેલે. રાજાએ આ નાના વિવાદ માટુ કડવું રૂપ લેશે એમ માની રથયાત્રાજ અટકાવી. આ વાત મહાપદ્મને ન ગમી તેથી તે હસ્તિનાપુર છેડી પરદેશ ગયા.
મહાપદ્મ ભવિષ્યમાં ચક્રવર્તિ થનાર હતા તેથી જ્યાં ગયા ત્યાં તેને રાજ્યલક્ષ્મી અને વિદ્યાધર કન્યાઓ મળી.
For Private And Personal Use Only