________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્યાવર્તને પ્રત્યેક માનવી પિતાની બધી પ્રવૃત્તિ પાછળ આત્માને સન્મુખ રાખતે અને પરભવને ડર રાખી હંમેશાં તે પ્રવૃત્તિ કરતે.
આજે તે દેશ, સમાજ, વ્યપાર કે વ્યવહાર બધે આત્માને ભૂલવામાં આવ્યો છે. પરભવને અવગણવામાં આવ્યો છે. તાત્કાલિક શરીર સુખ અને જડપષણનો વિચાર કરવામાં આવે છે. જેને લઈ તેને પિષક ચેકબંધ સાહિત્ય બહાર પડે છે. કથા સાહિત્યમાં પણ તેજ દિશા ચાલુ છે. મન ઘડંત ક૯પનાઓ દ્વારા રચાતી નવલકથાઓ વાંચકને આત્માભિમૂખ કરવાને બદલે જડતા તરફ દોરવવામાં વધુ ફળ આપે છે.
આ જડતાને પવન આજે એટલો જોરથી કુંકાય છે કે જે ધર્મ કથાએ કેવળ આત્મકલ્યાણની ભાવનાના પોષક રૂપે ગુંથાયેલી છે તેને પણ બાહસ્વાંગ ધાર્મિક આપ્યા છતાં અંદરને સ્વાંગ જે પવનથી ધર્મ શાસ્ત્ર બચાવવા માગે છે તે જડવાદને આડકતરું પોષણ મળે તે રીતે આજે ધાર્મિક કથાઓ પણ રજુ થાય છે. આ રજુઆત કથાને રજુ કરનારાઓ તે તે કથા વસ્તુના મૂળસ્થાન અને તેના ખરા આશયને વફાદાર નહિ રહેવાથી જ બને છે.
આ કથાસાગર ભા.૧-૨-૩માં આ વસ્તુનું ખાસ લક્ષ આપવામાં આવ્યું છે. કથાની વસ્તુને ખુબ રસપ્રદ રીતે રજુ કરવા છતાં શાસ્ત્રની બાધા તેમાં આવવા દીધી નથી. તેમજ ધાર્મિક કથા સાહિત્યને મૂખ્ય આશય વાંચકને ધર્માભિમુખ અને આત્માભિમુખ કરે તેને અહિં સફળરીતે ઉતારવામાં આવ્યું છે.
કથાસાગર ભા. ૨ની પ્રસ્તાવનામાં પૂ. પંન્યાસશ્રી સુશી
For Private And Personal Use Only