________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ અડગ ધીરજ
યા ને ગજસુકુમાળ
(૧) કંસના વધ બાદ દ્વારિકામાં આવી વસેલા યાદવે સેળે કળાએ ખીલ્યા. ખુબ ખુબ સંપત્તિ વધારી અને દ્વારિકા અલકાપુરીની ઈર્ષા કરે તેવી થઈ, પણ થોડા જ વખતમાં આ વાતની ખબર જરાસંઘને પડી તેણે શ્રી કૃષ્ણને અને ચાદ
ને નમાવવા પ્રયાણ કર્યું, પણ અધવચ ઘેર યુદ્ધ થયું. જરાસંઘ મરાયે અને શ્રી કૃષ્ણ વાસુદેવ બન્યા.
શ્રી કૃષ્ણની આણ ત્રણ ખંડમાં અખંડ વર્તતી હતી. શ્રી નેમિનાથ ભગવાન કે જે પિતાથી વધુ બળવાન અને પ્રતાપી હતા તે કદાચ પોતાનો પરાજય કરી રાજ્ય લઈ લેશે તેવી શ્રી કૃષ્ણની શંકા હતી તે શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા સ્વીકારી તેથી નિમૂલ બની હતી.
દ્વારિકામાં સર્વત્ર શાંતિ, પ્રેમ, આનંદ અને સુખ હતું. દેવકીમાતા પિતાના પુત્ર શ્રી કૃષ્ણના પ્રતાપ, યશ અને તેજથી હરખાતાં અને “ના સુપુત્રેન સિંહ સ્વપતિ નિર્મ” “એક સારા પુત્ર વડે સિંહણ નિર્ભય સુવે છે” તે વસ્તુ જીવનમાં અનુભવતાં.
૨૩
For Private And Personal Use Only