________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) ગીઓની નિંદા કરીને તેઓને હલકા પાડી ભેળા અજ્ઞાન જેનેને સાધુઓ તરફ અરૂચિવાળા બનાવે છે અને જૈન સાધુગુરૂદેહી બનીને પિતાના વિચારનું ખંડન કરનારા સાધુ સૂરિની છાપાઓમાં જૂઠી નિંદા છપાવે છે અને જેનશાથી અજ્ઞાન એવા કેટલાક ભેળા સંશયી જૈનેને પિતાના પક્ષમાં ખેંચી લે છે અને તેઓ પણ પોતાના પગ પર કુહાડો મારે છે, તે ઉભયતો ભ્રષ્ટ થાય છે.
પ્રશ્ન–જૈન સંધમાં ગાંધીજીનું સ્થાન છે કે નહીં ? કેટલાક નામધારી જૈન તેને તારણહાર માને છે, અને કહે છે કે જૈન સાધુઓમાં તેની બરેબરી કોઈ કરનાર નથી, તે સંબંધી તમારશે અભિપ્રાય છે ? ગાંધીજીના ચારિત્ર જેવું જૈનેના કોઈ સાધુનું પણ ચારિત્ર નથી એમ તેઓ કહે છે, તે સંબંધી શે ખુલાસે છે ?
ઉત્તર–જૈનાગમ શાના આધારે દેશનેતા ગાંધીજી વૈષ્ણવધર્મી હોવાથી તેમને જૈન સાધુ વર્ગમાં અને શ્રાવણૂહસ્થમાં પણ સમાવેશ થતો નથી. જૈન ગીતાર્થસૂરિ વિગેરે પાસે જે તેઓ જનધર્મનું સમકિત વ્રત ઉચ્ચરે તો તે જૈન થઈ શકે, તે વિના તે જૈન કહેવાય નહીં. જૈનધર્મદષ્ટિએ તે જૈનોના આદર્શ પુરૂષ નથી અને અન્યધર્મીઓ, નાસ્તિક અજ્ઞ કઈ જેન, તેમને ગમે તેવા માને તેમાં અમારે કંઈ સંબંધ નથી. ગાંધીજી, અમારા જૈન સાધુઓનું તો શું? પણ વ્રતધારી શ્રાવકની પણ બરાબરી કરી શકે નહીં અને જૈનધર્મની શ્રદ્ધાની અપેક્ષાએ અવિરતિ શ્રાવકની પણ બરાબરી કરી શકે નહીં, ગાંધીજી જગતુત કર્તા તરીકે ઈશ્વરને માને છે અને જેને જગતુ અનાદિકાલથી છે એમ જૈનશાસ્ત્રના આધારે માને છે; તેથી દેવગુરૂ ધર્મ પરત્વે જેની અને ગાંધીની શ્રદ્ધા ભિન્ન ભિન્ન હોવાથી જૈને, ગાંધીજીને જૈન માનતા નથી અને ગાંધીજી પિતાને જૈન તરીકે માનતા પણ નથી તે પોતાને તારણહાર મહાત્મા તરીકે માનતા નથી.
For Private And Personal Use Only