________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨ ) મેળવવા પ્રયત્ન કરે છે અને તે આશાએ પ્રયત્ન કરતાં અને જૈનતત્વજ્ઞાન કરતા છેવટે આત્મામાં સુખ માનીને શાસનદેવને અને તી ચંકને પછીથી પગલિક સુખ માટે પ્રાર્થના કરતા નથી અને પછીથી બાહ્ય સુખાર્થે તીર્થકરેને માનવાના કરતાં આત્મસુખાર્થે તીર્થંકરેને માને છે, પૂજે છે અને શાસનદેવોને પણ આત્મસુખાર્થે મદતકારી માને છે. એવી દશા કંઈ એકદમ પ્રાપ્ત થતી નથી. જડ સુખમાંથી આત્મ સુખમાં આવતાં ઘણે કાલ વહી જાય છે. ગૃહસ્થ જૈને કેટલાક કુલાચારથી છે તેઓને દેવગુરૂ ધર્મની સામગ્રી નજીક હોય છે અને તેઓ એળે જૈન ધર્મશ્રદ્ધાળુ હોય છે, તેઓ ખરેખરી રીતે મિથ્યાવીઓ કરતાં અનંત ગુણ ઉત્તમ છે અને તેઓ અનુક્રમે જૈનદશામાં હળવે હળવે આગળ વધે છે, તેઓને તેઓની વિચારપ્રવૃત્તિમાંથી બ્રાંત કરી અનુત્સાહી અવિશ્વાસી બનાવવાથી તેઓ કંઈ આગળની દશાને પ્રાપ્ત કરી શકતા નથી અને વર્તમાનદશામાં સંશયી થાય છે અને ઉલટા પતિત પણ થાય છે, જેઓ જૈન શાસ્ત્રની આવી શૈલીમાં શંકા કરે છે તેવા સંશયાત્માએ નષ્ટ થઈ જાય છે.
લોકિક દષ્ટિ કહેવાતા મહાત્મા ગાંધી જેવાને પણ દુનિયાના સ્વરાજ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી છે. ગાંધીજી કંઈ પગલિક સ્વરાજ્યની વાસનાથી રહિત થયા નથી, કારણ કે તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરતા નથી, તે ગૃહસ્થ જૈને કે જેઓ ચોથા અને પાંચમા ગુણસ્થાનકમાં છે અને જેઓને મુક્તિ સુખની ઈચ્છાની સાથે હજી સાંસારિક જડસુખ ભોગવવાની ઇચ્છા છે, તે લક્ષ્મી સ્ત્રી-પુત્ર સ્વરાજ્ય વગેરેની ઇચ્છા કરે અને તેઓની પ્રાપ્તિ માટે શાસનદેવની પણ આરાધના કરે તેમાં કઈ જૈનશાસ્ત્રોથી તે વિરૂદ્ધ વર્તતા નથી. તેઓની નિંદા કરવી અને તેઓ પુત્રાદિક માટે તીર્થોમાં આંટા ફેરા મારે છે ઈત્યાદિ કહેવું તે જૈન
For Private And Personal Use Only