________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂર રાખીને વિષ ઉતાર્યું છે. તેને મહને અનુભવ છે. જેને શ્રદ્ધા હેય અને પરસ્ત્રી ત્યાગી હોય તેને અનુભવ આવે છે. ઘંટાકર્ણવીરને નવગ્રહોની પેઠે જૈન અને હિંદુઓ અને માને છે અને બને તેની આરાધના કરે છે. ઘંટાકર્ણ મહાવીરના મંત્રકલ્પ બે ત્રણ જાતના છે અને તેમાં ક્યા ક્યા કાર્ય પર તે મંત્ર પ્રવર્તે છે તે તેમાં વિધિપૂર્વક જણાવ્યું છે. અમારા ગુરૂ મહારાજશ્રી રવિસાગરજીએ વિ. સં. ૧૮૫૪ ના ફાગણ માસમાં ઘંટાકર્ણ મંત્રની ગુરૂગમતા આપી હતી. જેનસાધુઓ પૈકી ઘણા ખરા ઘંટાકર્ણવીર મંત્રની આરાધના કરે છે. ઘંટાકર્ણની મંત્રસ્થાલી અમદાવાદ, વિજાપુર વગેરે જે જે સ્થાને પ્રતિષ્ઠા કરાવનારા જે છે તેઓના ત્યાં હોય છે. આપણે જેમ આત્માએ છીએ અને પરસ્પર એક બીજાને મદદ કરીએ છીએ, તેમ ચારે પ્રકારના દેવતાઓ પણ આત્માઓ છે. તેઓ પણ આપણને ધર્માદિકરાગથી વા મંત્રારાધોગથી મદત કરે છે, આપણા કર્મના ઉદયમાં તે નિમહેતુ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકે તત્ત્વાર્થસૂત્રમાં ર જા જવાના. એ સૂત્ર રચી તેમાં જણાવ્યું છે કે સંસારીસર્વજીને પરસ્પર એક બીજાને ઉપકાર થાય છે. દેવો, મનુષ્પો, તિર્યા વગેરે સર્વ એક બીજા પર અનેકરીતે ઉપકાર, સહાય, મદત કરી શકે છે. તેમ તવાર્થ સૂત્રથી સિદ્ધ થાય છે. સમકિતી જેને, હાલ દુનિયામાં એકલા સમકિતી મનુષ્યોની મદતથી જીવી શકતા નથી, તેઓ હિંદુ મુસલમાન વગેરેની મદત સહાય ઉપકારથી પિતાનાં દુઃખ ટાળી શકે છે, અને આજીવિકા ચલાવી શકે છે તેથી કંઈ તેઓને મિથ્યાત્વ લાગતું નથી, કારણ કે જેને જાણે છે કે અન્ય ધર્મીએ તે કંઈ વીતરામદેવ નથી, તે પ્રમાણે જૈનગૃહસ્થોને પણ તે વીતરાગ સર્વ દેવ તરીકે જાણતા નથી તે પ્રમાણે તેઓ શાસન દેવને સમાનધર્મી મનુષ્યની પેઠે જાણે છે અને તેમને ધૂપ દીપ કરે છે, સ્તવે
For Private And Personal Use Only