________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મશંકા સમાધાન. શ્રી જૈનશાસનદેવ ઘંટાકર્ણ વીરની સહાયસિદ્ધિ આદિ માન્યતા.
प्रणम्य श्रीमहावीरं, सर्वशं दोषवर्जितम् કુમત રાઇ , નવરાત્રવિધિના- घण्टाकर्णमहावीरो, जैनशासनरक्षक: तस्य सहायसिद्धयर्थ, वच्मि शास्त्रानुसारतः ॥२॥
શ્રી સર્વ દેવર્જિત વશમાં તીર્થકર તારણહાર એવા મહાવીર દેવને નમસ્કાર કરીને જૈનશાસ્ત્રના વિરોધીઓ કે જેઓ ચારનિકાયના દેવોની સહાયતાને માનતા નથી વગેરે જેનશાસ્ત્ર વિરૂદ્ધ અનેક કુમતને ધારે છે એવાઓના કુમતનું ખંડન કરું છું. ઘંટાકર્ણ મહાવીર છે તે બાવન વીર પૈકી એક વીર છે. તે જૈનશાસન રક્ષકવીર છે, તે જૈનધર્મમાં શ્રદ્ધાળુ એવા જૈનેને સહાય કરી શકે છે તેથી શાસનદેવની સહાયની સિદ્ધિને શાસ્ત્રાધારે કથું છું.
જૈનશાસ્ત્રમાં પરંપરાગમનું વર્ણન છે. પૂર્વ જૈનાચાર્યોની પરંપરાઓ જે માન્યતાઓ પ્રવર્તે છે તેને પરંપરાગમમાં સમાવેશ થાય છે. સર્વ જાતના હિંદુ, મુસલમાન, બદ્ધ વગેરે ધર્મોમાં પણ તેઓ તેઓના મહાત્માઓનાં પરંપરાગમને માને છે. જૈનશામાં પરંપરાગમ છે તેને જે ન માનવામાં આવે તે જૈનધર્મની ઘણું માન્યતાઓને નાશ થઈ જાય. પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાદપૂર્વમાંથી અનેકમનો અને વિધા
For Private And Personal Use Only