________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ૌથર છે! ૮૦૦ પાનાને મહાન ગ્રંથ!! તૈયાર છે!
આનન્દ ઘનપદ ભાવાર્થ સંગ્રહ.
વેચાણ માટે બહુજ થોડી નકલે છે અને ગ્રાહકોની માગણી એકસરખી ચાલુજ છે; માટે આજેજ ખરીદે.
જે તમો ઐહિક તેમજ પારકિક સુખની ઇચ્છા રાખતા હે, અને તમારે મહાત્મા આનન્દઘનજીનાં બનાવેલાં અધ્યાત્મજ્ઞાનના ઉમદા , પદોનું ગુપ્ત રહસ્ય સમજવું હોય તો ઉપરને ગ્રન્થ વાંચો. કારણકે–
આ ગ્રન્થમાં શ્રીમદ્ આનન્દઘનજીના અધ્યાત્મિક, વૈરાગ્યાદિક ઉત્તમ રહસ્યવાળાં ૧૦૮ પદો કે જેનો ભાવાર્થ સમજવા અનેકમનુષ્યોની તીવ્ર જીજ્ઞાસા હતી તે પદો ઉપર યોગનિક મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમનું ચરિત્ર પણ ઘણું જ ઉત્તમ રીતે વિસ્તારથી દાખલ કરેલું છે.
મહાત્મા આનન્દઘનજીનાં પદે અને શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિવેચનકાર એટલે ગ્રન્થની ઉત્તમતા માટે તો કહેવું જ શું? અર્થાત્ આ. ગ્રન્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
વળી લખાણની ઉત્તમતા સાથે ઉંચા ગ્લેઝ કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છાપ, મનોહર, આકર્ષક, બાઈન્ડીંગ પાકી તથા દળદાર કદ વિગેરે બહારનું ઉત્તમ કામ પણ ગ્રન્થ જોતાંની સાથે ખરીદ કરવાને માટે મનને લલચાવે તેવું છે. આટલી બધી ઉત્તમતા છતાં પણ જ્ઞાનના અર્થે કિંમત માત્ર રૂ. ૨-૦-૦ રાખવામાં આવી છે. છે. રતનપોળ ) ઇશ્વરલાલ હરજીવનદાસ શાહ, અમદાવાદ - બુકસેલર એન્ડ જનરલ મર્ચન્ટ.
For Private And Personal Use Only