________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨ ) દિવસ પછી સ્થાનકવાસી સાધુ આવ્યા. સ્થાનકવાસી સાધુને જૈન પાટીદારોએ વહેરવાની વિનંતિ કરી. તેમણે પાટીદારોના ત્યાંથી આહાર હેર્યો ત્યારથી ભાદરણના જૈન પાટીદારો સ્થાનક સંપ્રદાયમાં દાખલ થયા અને હાલ તે ગામના લગભગ દશ પાટીદારો સ્થાનક વાસી સાધુઓ થયા છે. નાર ગામના જેન પાટીદારોને ત્યાં જૈન - તાંબર મૂર્તિ માનનારા સાધુઓ હેરે છે તેથી તેઓ તાંબર મૂર્તિપૂજક રહ્યા. નારના કેટલાક જૈન પાટીદારોએ અમેને કહ્યું હતું કે જે સાધુ અમારું દાન ગ્રહણ ન કરે તે અમારા ગુરૂ શી રીતે હોઈ શકે? અલબત્ત તેઓની માન્યતા ખરી છે. નડિયાદમાં સુતરિયા પાટીદાર લોકે જૈન ધર્મ પાળે છે. કાવીઠા, સુણાવ, નાર, સંડેસર અને ભાદરણું વગેરે ગામોમાં અમોએ વિહાર કર્યો છે અને ત્યાંના જૈન ધર્મી પાટીદારો અમારા પરિચયમાં આવ્યા છે. સાભાગ્યવિજયજી યતિ અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈને ત્યાં આવતા હતા અને શેઠના ત્યાંથી ચંદરવા, રૂમાલ અને ભગવાનની છબીઓ લેઈ જતા હતા. શેઠ દલપતભાઈ ભગુભાઈ પિતે ધર્માભિમાની હતા અને જૈન ધર્મને ફેલાવો કરવા ઈચ્છતા હતા, તેથી તેઓ યતિજી સૌભાગ્યવિજયજીને સારી રીતે મદદ આપતા હતા. સોભાગ્યવિજયજી અને બાપુજી ભગતે બનાવેલાં ભજન એકઠાં કરીને છપાવવાની જરૂર છે. પાટીદાર વર્ગમાં જૈન ધર્મ દાખલ કરનાર યતિજી સૌભાગ્યવિજયજી અને બાપુજી ભગતને હજારો વાર ધન્યવાદ આપવામાં આવે છે. તેમની પાછળ જૈન સાધુઓને પાટીદાર લકોને જૈન ધર્મને ઉપદેશ આપવાને સતત પ્રયત્ન હોત તે હાલમાં ચત્તરમાં ઘણું ગામોમાં જૈન ધર્મનો ફેલાવો થયો હોત.
- મારવાડમાં સેવક તરીકે ગણાતા બ્રાહ્મણો છે. તેઓને જૈનાચાએ જૈન ધર્મી બનાવ્યા હતા. હાલ તે લેકે જૈનધર્મને પરિપૂર્ણ પાળતા હોય એમ સમજાતું નથી. સેવક બ્રાહ્મણોને ભણાવી
For Private And Personal Use Only