SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) સ્થાનનાં ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી એમ સિદ્ધ થાય છે. શ્રી નેમિનાથ ભગવાનના વખતમાં સાંખ્ય ધર્મના પ્રચાર હતા અને તે વખતે વેદ ધર્મને માનનારા ઋષિયા વગડામાં રહેતા એમ સિદ્ધ થાય છે. વસિષ્ઠ રામાયણ અને મહાભારત વગેરે અન્ય દર્શનીના ગ્રન્થે વખતે પણ જૈનધર્મ હતેા અને તે વખતે જૈન મુનિયેા હતા એમ સિદ્ધ થાય છે. શ્રી નેમિનાથ તીર્થંકર પછી લગભગ ચારાશી હજાર વર્ષના આશરે શ્રી પાર્શ્વનાથ તીર્થંકર થયા. શ્રી કાશી દેશના રાજા અશ્વસેન અને વામા રાણીના પુત્ર શ્રી પાર્શ્વનાથ હતા. આજથી સત્તાવીશસે વર્ષ પહેલાં શ્રી પાર્શ્વનાથ થયા હતા. શ્રી પાર્શ્વનાથના વખતમાં હિન્દુસ્તાનમાં જ્યાં ત્યાં જૈન રાજમનું રાજ્ય હતું. તાતાર, તીબેટ, અફગાનિસ્થાન વગેરે દેશે!માં પણ જૈનધર્મ પ્રવર્તતા હતેા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ ચારે વર્ષે જૈનધર્મ પાળતી હતી. શ્રી પાર્શ્વનાય પ્રભુના સમયમાં ધીમે ધીમેા વેદધર્મના પ્રચાર વધ્યા કરતા હતા. શ્રી પાર્શ્વનાથે કમડયેાગીને એધ આપ્યા હતા. શ્રી પાર્શ્વનાથ ચરિત, કલ્પસૂત્ર વગેરેમાં શ્રી પાર્શ્વનાથ અને કમડયેગીના સંવાદના રમુજી ચિતાર જોવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ સમ્મેતશિખર પર્વતપર અણુ કર્યું હતું તેમના પહેલાં ધણા તીથૅ. કરાએ સમ્મેતશિખર પર્વતપર અણુસણુ કર્યું હતું તેથી જૈનેામાં સમ્મેત શિખરને એક પવિત્ર તીર્થ તરીકે માનવામાં આવે છે. વિવિધ તીર્થકલ્પ નામના ગ્રન્થમાં સમ્મેતશિખર પર્વતનું માહાત્મ્ય સારી રીતે દર્શાવ્યું છે. શ્રી પાર્શ્વનાયના ગણુધરે અને સાધુએએ હિન્દુસ્થાન વગેરે દેશામાં જૈનધર્મને ઉપદેશ આપીને અનેક મનુષ્યાને શુભ માર્ગમાં વાળ્યા હતા. શ્રી પાર્શ્વનાથતું ચિત્ સર્પ છે. સર્પને તક્ષ કહે છે. તક્ષના ચિથી પાર્શ્વનાથના અનુયાયીએ એ તરીકે પાતાને ઓળખાવનાર તાત્ક્ષજાતિના રાજાએ થયા તેઓએ ઉત્તર દેશમાં પેાતાનું રાજ્ય સ્થાપ્યું For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy