________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ ). આ ઉપરથી જોઈ શકાય છે કે ઉપર પ્રમાણેનાં તીર્થોની વાર્ષિક ઉપજ ઉપર પ્રમાણે હતી. તેથી અનુમાન કરી શકાય છે કે તે વખતમાં જેનોમ ધનથી પૂર્ણ સુખી હોવી જોઈએ. અને કરોડોની સંખ્યામાં જેનો હોવા જોઈએ. પૂર્વે લક્ષ્મી તે જૈન કોમમાં હતી એમ સિદ્ધ થાય છે.
શેઠ જગાભાઈ દલપતભાઈ તરફથી વિમલશાહના વંશજને અકબર બાદશાહે આપેલા લેખોમાં નીચે પ્રમાણે તીર્થોની વાસિક આવક હતી. સત્તરમા સૈકામાં ગુજરાતમાં શાન્તિદાસ શેઠ વગેરે તથા ઓગણીશમા સૈકામાં મોતિશાહ શેઠ, હેમાભાઈ શેઠ અને હઠીભાઈ શેઠ વગેરે પૈસાદાર થયા હતા અને તેમણે શુભ માર્ગમાં ધનનો વ્યય કર્યો હતો. બંગાલામાં જગત શેઠ થયા તેઓ કરોડો રૂપિયાની આસામી હતા. તેમના પલંગના પાયાઓ લીલા પાનાના હતા તેમજ પલંગમાં કરોડો રૂપિયાના હીરાઓ જડયા હતા. તેમને એક હકો પાંચ કરોડ રૂપિયાનો હતો એમ કહેવાય છે. તેઓ સરકારને કરડે રૂપૈયા ધીરતા હતા. તેમણે કસવટ્ટીના પત્થરનું મોટું જૈન દેરાસર બાંધ્યું હતું તેમાં અબજો રૂ પૈયા ખર્ચવામાં આવ્યા હતા.
આ પ્રમાણે જ્યારે પૂર્વની સ્થિતિ અવલોકીએ છીએ ત્યારે જૈનની પૂર્વે ઝાહેઝલાલીને અપાર હતી એમ જણાય છે. વિ. ના ચૌદમા સૈકામાં થએલા જૈન જગડુશાહનું દાન નીચે મુજબ છે.
જગડુશા. વિક્રમ સંવત ૧૪ ચાદના સૈકામાં કચ્છ દેશના ભદ્રેશ્વરમાં જગડુશા શેઠ થયો હતો. તેણે જૈનધર્મને સારી રીતે દીપાવ્યો હતો. તેની પાસે અબજો રૂપિયા હતા. તે અસ્તિાન ઇરાન વગેરે દેશની સાથે દરિયા માર્ગે વ્યાપાર કરતો હતો. સોળના પુત્ર જગડુએ હાથીઓ સહિત મોટા સૈન્ય સાથે અને ચતુર્વિધ સંધની સાથે સિદ્ધાચલને સંધ કહાડયો હતો. તેણે ભદ્રેશ્વરમાં એક મોટું દેરાસર બં
For Private And Personal Use Only