________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ નમઃ
જૈનધર્મની પ્રાચીન
અને
અર્વાચીન સ્થિતિ.
— ના
જોશે.
नमस्कृत्य महावीरं सद्गुरुं सुखसागरम् । जैनधर्मप्रसृत्यर्थं लिखामि लेखमुत्तमम् ॥ १ ॥
અનાદિ કાળથી આર્યાવર્તમાં જૈનધર્મ પ્રવર્તી રહ્યા છે અને તેથી અનેક જીવનું કલ્યાણ થયું છે વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. જૈનધર્મની ઉપયોગિતા.
આખી દુનિયાનું કલ્યાણ થાય એવા જૈનધર્મના આચારા અને સદ્વિચારેા છે. જૈનધર્મમાં દયાના સિદ્ધાંતને મુખ્ય માનવામાં આવ્યે છે. દુનિયામાં જેટલા ધર્મ હાલ વિધમાન છે અને ભવિષ્યમાં જેટલા થશે તેમાં ધ્યા એજ મુખ્ય છે. આર્યાવર્તમાં દયારૂપ દિવ્ય ગગાને પ્રગટાવનાર જૈનધર્મ છે તેથી જૈનધર્મની કેટલી બધી ઉપયેાગિતા છે એ સહેજે સિદ્ધ થાય છે. જૈનધર્મે આર્યાવર્ત લેાકેાને અનેક પ્રકારે ઉચ્ચ સ્થિતિમાં લાવવા ઉત્તમ પ્રયત્ન કર્યાં છે. આર્યાવર્ત દેશની ભૂતકાળની ઐતિહાસિક ના તરફ દૃષ્ટિ ફેંકીએ તે તેમાં જૈનધર્મે ઉત્તમાત્તમ ભાગ ભજવ્યેા છે તે સહેજે જણાશે. ભારતવાસીઓની આર્યતાનું સ ંરક્ષણ કરનાર જૈનધર્મ છે.
For Private And Personal Use Only