________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) सागर कोटीनां पंचाशतालक्षः श्री अजित निर्वाणं ततश्च त्रिवर्षार्ध नवममासाधिक द्विचत्वारिंश द्वर्षन्यूनपाशत् कोटिलः सागरैः श्री वीरनिवृतिस्ततो नवशताशीतिवर्षा तिक्रमे पुस्तकवाचनादि (कल्पसूत्रे).
શ્રી રૂષભનિર્વાણથી પચાસ લાખ કોટિ સાગરેપમે શ્રી અછત નાથ નિર્વાણ તેવાર પછી ત્રણ વર્ષ સાડા આઠ માસ અને બેતાલીશ હજાર વર્ષ જૂન એવા પચાસ લાખ કરોડ સાગરોપમે શ્રી મહાવીર નિર્વાણ થયું તે ઉપર નવસેને એંશી વર્ષે પુસ્તકની વાચના થઈ.
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પૂર્વે કેટલાંક પુસ્તકોમાં જણાવ્યું હતું કે બુદ્ધ ધર્મમાંથી જૈનધર્મ નીકળે છે પણ હવે તેઓ જાણું શક્યા છે કે એમ કહેવામાં ભૂલ થઈ છે. યુરોપના પ્રોફેસર હર્મન જેકોબી, દાક્તર સ્વાલી વગેરે વિદ્વાનોએ હવે કબૂલ કર્યું છે કે બુદ્ધ ધર્મ કરતાં જૈનધર્મ જુદો છે અને બોદ્ધ ધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન છે. બદ્ધ ધર્મ તો શ્રી મહાવીર પ્રભુના વખતમાં ઉત્પન્ન થયો છે. બૌધ ધર્મનાં પુસ્તકોમાં સાત પુત્ર વધમાન અર્થાત મહાવીર પ્રભુ સંબંધી લખાણ છે. શ્રી જ્ઞાત પુત્ર વર્ધમાનનો અમુક શ્રાવક હતો તે બુદ્ધનો રાગી થયો વગેરે. શ્રી મહાવીર પ્રભુના વખતમાં જૈન ક્ષત્રિય રાજાઓને મેટો ભાગ જૈનધર્મ પાળતા હતા. વિશાલા નગરીના ચેડા રાજા અને ચંપાનગરીના કણકની મહાભારત લડાઈ થઈ હતી અને તે બન્ને રાજાઓ જૈનધર્મ પાળતા હતા. વિશાલા નગરીના ચેડા મહારાજ શ્રી મહાવીર પ્રભુના મામા થતા હતા. શ્રી મહાવીર પ્રભુના વખતમાં કેશીકુમારે નાસ્તિક એવા પ્રદેશ રાજાને પ્રતિબંધ દેઈ જૈનધમ બનાવ્યો હતો. શ્રી રૂષભપુરના ભદ્રનંદિ રાજપુત્ર શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. શ્રી વીર પ્રભુની પાસે રાજાના પુત્ર અતિમુક્તકુમારે બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી તેમજ શ્રેણિકના પુત્રો-મેઘકુમાર-નંદિષણ
For Private And Personal Use Only