________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ અને પ્રસ્તી ધર્મને મુકાબલે.
જેનપ્રીસ્તી સંવાદ,
પ્રસ્તાવના.
વિ. સં. ૧૯૫૭ની સાલનું ચોમાસું સુરતમાં કરવામાં આવ્યું, તે વખતે શેઠ. નેમુભાઈ મેળાપચંદની વાડીમાં. પન્યાસ સિદ્ધિવિજયજી, પન્યાસ ચતુરવિજ્યજી વગેરે પર સાધુઓનું ચોમાસું હતું અને નેમુભાઈની વાડીના ઉપાશ્રયની લગભગ શ્રાવક ખેમચંદભાઈની વાવના ઉપાશ્રયમાં અમારા ગુરૂશ્રી સુખ સાગરજી મહારાજનું તથા શ્રી ન્યાયસાગરજી તથા અમારું
માસું હતું. પીપુરામાં શ્રી મેહનલાલજીમહારાજનું પંદર સાધુઓ સહિત ચોમાસું હતું. શ્રી સિદ્ધિવિજયજી મહારાજે તે વખતે ૫. મહારાજ ચતુરવિજયજી પાસે પન્યાસ પદવી અંગીકાર કરી હતી. શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય હરખમુનિ પણ પન્યાસ પદવીના જોગ તેમના ગુરૂભાઈ પાસે રહેતા હતા. અમારી સાથે પન્યાસ શ્રી ચતુરવિજયજી તથા પન્યાસ સિદ્ધિવિજયજીના સાધુઓને પરસ્પર ઘણે મૈત્રીસંબંધ હતો. શ્રી સિદ્ધિવિજ્યજી પન્યાસને વિજાપુર વિદ્યાશાળામાં વિ. સં. ૧૯૪૮માં અમારી ગૃહસ્થદશામાં પરિચય થયું હતું, પશ્ચાત્ મેસાણામાં વિ, સં. ૧૫૪ માં વિશેષ પરિચય થ હતા. વિ. સં. ૧૯૫૪ની સાલમાં પાટણમાં શ્રી મોહનલાલજીમહારાજનો અમારી ગૃહસ્થદશામાં અમને પરિચય થયે અને તેથી શ્રી મેહનલાલજીમહારાજસાથે પણ પૂર્વથી ધર્મનેહ સંબંધ ચાલ્યો આવતો હતે. શ્રી મોહનલાલજી મહારાજના ઉપાશ્રયમાં તેમને મળવા માટે અમારે ઘણી વખત જવાનું થતું હતું. અને તેથી તેમના સાધુઓ સાથે ધર્મશાસ્ત્રોની ચર્ચાઓ થતી. શ્રી જશમુનિના વિદ્વાન શિષ્ય શ્રી પ્રતાપમુનિની સાથે અમારે
For Private And Personal Use Only