________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આપના સંધાડાના સાધુઓ એટલે કેઈ ને મે સમુદાય નથી, તથા આપના સંધાડાના સાધુઓના વિહાર જેટલા અન્ય સાધુઓના સંધાડાને વિહાર નથી, આપ સરલ છે, આપનામાં જેનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની ઘણી લાગણી છે. આપની વિ. સં. ૧૫૭ ના માઘ માસ પુનમે પાટણમાં આચાર્ય પદવી થઈ હતી તે વખતે મારા ગુરૂ સાથે હું હાજર હતો અને આપની આચાર્ય પદવીમાં ભાગ લીધો હતો. આપના સંધાડામાં પ્રવર્તક શ્રીકાંતિવિજ્યજી જેવા બાહોશ ગભીર ઉદાર મતવાદી પ્રવર્તક છે. શ્રીમાન હંસવિજયજી મહારાજે સર્વ દેશમાં વિહાર કર્યો છે. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ શાંત, વૈરાગી અને ઉત્તમ ગવૈયા હતા, શ્રીમાન વલ્લભવિજયજીએ પંજાબ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડમાં વિહાર કરીને સર્વત્ર ઉપદેશ આપે છે, પંજાબમાં તે વલલભવાઘતરીકે પ્રસિદ્ધ છે, પન્યાસ દાન વિજયજી, મુનિશ્રી પ્રેમવિજયજી, મુનિશ્રી રામવિજયજી, પં. લલિતવિજયજી વગેરે વિદ્વાન સાધુઓથી જૈનમને ધાર્મિક લાભ થયા કરે છે, વ્યાખ્યાવાચસ્પતિ શ્રીમાન લબ્ધિવિજયજી જેવા જાહેર વક્તાની નસેનસમાં ધર્માભિમાન ઉછળી રહ્યું છે, તમારા સંઘાડાના સાધુઓને બ્રીસ્તિયે વગેરે અન્યદર્શની ગુરૂઓની સાથે ઘણું ચર્ચાના પ્રસંગે પડે છે. તેથી વાદવિવાદમાં ચર્ચામાં તમારે સંઘાડે મુખ્ય ભાગ ભજવે છે, તેથી આવાં પુસ્તક લખવાનું કાર્ય તમારું છે, તેથી તમારે કરવું જોઈએ છતાં મારા જેવાએ આ કાર્યમાં કંઈક ભાગ આપે છે, તમારા ગુણેથી રંજિત થઈને તમને અર્પણપત્રિકા આપું છું તે સ્વીકારશે અને વર્તમાનમાં સર્વસ્વાન્યગચ્છ સંઘાડાઓના સાધુઓના એકયબલના સંગઠનમાં મોટે ભાગ લેઈને ખ્રસ્તિના પાદરીઓની પેઠે જૈનધર્મપ્રચાર કાર્યને આગળ પ્રચારશે. એમ
લે તમારે ગુણાનુરાગી બુદ્ધિસાગર,
મુ પેથાપુર આસોવદિ ૫.
For Private And Personal Use Only