SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્યદેવસૂરિ. પૃષ્ઠ ૧૦૩-૧૦૭. મૂળ ગામ ઈડર, અને ત્યાં શાહ થિરાહુલ ચંદસિંહ અને તેની ભાર્યા નામે રૂપાં વસતાં હતાં. તેના પુત્ર શ્રી વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. પછી પોતે સૂરિપદ લીધું. શ્રી વિજયદેવસૂરિએ જહાંગીર પાદશાહને પ્રતિબધી તેની પાસેથી “મહાતપા” એ નામનું બિરૂદ મેળવ્યું હતું. . શ્રી વિજયદેવસૂરિએ મરૂધર (મારવાડ), ગુર્જર (ગુજરાત), સેરઠ ( કાઠિયાવાડ), માલવા અને દક્ષિણ દેશમાં અપ્રતિબંધપણે વિહાર કર્યો. મહમદશાહને ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપી પિતા તરફ ખેંચ્યો અને તે નરપતિ. રાજા કે સૂબા(? એ શૈવધ કે ગૌમાંસાહાર છોડી દીધે, આથી ગુરૂ કીર્તિ સર્વ સ્થળે ફેલાઈ ૨૭ તેમના શિષ્યો હતા. આમના શિષ્ય વિજયસિંહસૂરિ હતા તેમણે મરૂધર (મારવાડ) થી નીકળી જ્યારે વિજયદેવસૂરિ ગુજરાતમાં આવ્યા ત્યારે ભેટીને વંદન કરી. આ વખતે વિજયસિંહસૂરિએ સ્વર્ગવાસ કર્યો. આથી શ્રી વિજયદેવસૂરિએ પિતે ગંધાર જઈ શ્રી વિજયભને પિતાના પટ્ટધર સંવત ૧૭૧૦ ના વૈશાખ સુદ ૧૦ ને દિને બનાવ્યા. * વિજયદેવ સૂરિ (તપાગચ્છની ૬૦ મી પાટે) વિજયસેનસૂરિના પટ્ટધર. જન્મ સંવત્ ૧૬૪૩, પંન્યાસપદ ૧૬૫૫. સૂરિપદ ૧૬૫૬; જહાંગીર બાદશાહે મહાતપાનું બિરૂદ આપ્યું. સં. ૧૬૫ માં આરાસણમાં મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી (જન બિમ્બિઓગ્રાફી ઍરિને. શિલાલેખ), સ્વર્ગ ઉખ્ખા નગરમાં સં. ૧૭૧૩ ના આષાઢ શુદિ ૧૧ ને દિને. તેઓ સ્વર્ગ ગયા પહેલાં પોતાના પછી પટ્ટધર શ્રી વિજયસિંહને નીમી ગયા હતા, પરંતુ તે પિતાની પહેલાં સ્વર્ગવાસ પામવાથી વિજયપ્રભ પટ્ટઘર નીમ્યા –૫ટ્ટાવલિ, ૧ વિજયસિંહસૂરિ (૬૧ મા તપગચ્છની પાટે, શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર. જન્મ સંવત ૧૬૪૪ મેડતામાં, દીક્ષાં સં. ૧૬૫૪ માં, વાચકપદ સં. ૧૬૭૩ માં, સૂરિપદ સં. ૧૬૮૨ માં, અને સ્વર્ગ ગમન સં. ૧૭૦૯ ના આષાઢ શુદિ બીજ. (નતનપુરામાં–અમદાવાદ) ૨. ગંધાર-ખંભાતના અખાતના કિનારા પરના ચાર બંદર નામે ગારી ( ઘા), બરબિસિ (ભરૂચ), ગદાર (ગંધાર) અને ખંભાત છે; આમાંનું એક ગંધાર છે. ( ૩ વિજયપ્રભસૂરિ (૬૨ મા, ખરી રીતે ૬૧ મા તપગચ્છની પાટે) જન્મ ૧૯૭૭ માં કચ્છના મનહરપુરમાં, પિતાનું નામ શા સવગણ, માતાનું નામ ભાણું) For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy