________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
આ રીતે આપણે જે જોઈ ગયા તે પરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, શાંતિદાસ શેઠની વંશવેલી અમરવેલ સમાન બહુ ફાલીકૂલી છે; એટલું જ નહિ પરંતુ તે વંશમાં શ્રદ્ધાલુ, દયાલુ, દેવગુરૂભક્તિકારક ઘણુ મનુષ્ય પ્રગયા છે અને જૈન શાસનને દીપાવ્યું છે. શાંતિદાસ શેઠમાં જે પ્રભાવક ગુણે હતા, તેને વારસે તેમના વંશજોએ બરાબર સાચવ્યો છે. હજુ પણ આ સદ્ગણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર વધુ વધુ ખીલે, અને તેને અને નુકુળ ઉપાયે ચોજાઈ જૈનશાસન વિશેષ મહિમાવંતુ થાય એમ અમે ઇછીએ છીએ. આવા જૈનસમાજદીપક પુરૂષ પ્રકટ કરવાનું માન અમદાવાદને ઘટે છે, તેમજ સત્યવિજય, યશોવિજય, નેમિસાગર આદિ પ્રખર ક્રિયાશીલ સાધુઓથી પવિત્ર થવાનું માન પણ અમદાવાદને ઘટે છે. અમદાવાદ જૈનપુરી હતું અને હજી પણ છે એ નિર્વિવાદ છે. મુર્શિદાબાદમાં
જગતશેઠ” તરીકે પ્રસિદ્ધ થયેલું કુટુંબ ન હતું, તેવી જ રીતે અમદાવાદમાં “જગતશેઠ તરીકે શાંતિદાસ શેઠનું કુટુંબ પ્રસિદ્ધ થયેલ છે અને તેમાંની એક નગરશેઠ” ની ઉપમા વંશપરંપરાથી આવેલી હજુ ભોગવ્યે જાય છે.
આવા મહાન પ્રભાવક કુટુંબમાં થયેલ પ્રભાવક પુરૂષનાં ચરિત્રો, ખાસ મનન કરવા લાયક છે અને તે પરથી સમજી શકાશે કે ગુજરાત દેશની (ભારતવર્ષની) આબાદી કરવા માટે જેનોએ કેવી અપૂર્વ સેવા આત્મભોગથી બજાવી હતી. ગુજરાતના પૂર્વ રાજાઓ મહાન ખ્યાતિવાળા થઈ ગયા હતા અને તેના મંત્રીઓ જેને હતા. જેવા કે ઉદયન, બાહડ, વસ્તુપાલ, તેજપાલ આદિ. વનરાજ, સિદ્ધરાજ, દુર્લભરાજ આદિ રાજાઓ જૈનધર્મને પ્રેમપૂર્વક આદરમાન આપનાર હતા. કુમારપાળ રાજા તે જૈન હતા. ગુજરાતમાં પશુ પક્ષીને સંહાર કે શિકાર ન થાય એવી દિગંત ઘોષણઅમારિપડહ પણ જેનેએ-જેને દારાજ વજડાયેલ છે, અને તેને પરિણામે આખા ભારતવર્ષમાં ફકત ગુજરાતમાં જ હાલ પણ માંસ ત્યાગ, મુસલમાન, ક્ષત્રિય, રજપૂતો, અને ભીલ આદિ કોમ બાદ કરતાં-સર્વત્ર નિરંકુશ ધર્માતા તરીકે વર્તનમાં રહેલ છે. ઇત્યાદિ.
શાંતિદાસ શેઠથી સ્થપાયેલા સાગર ગચ્છમાંથી કેટલાક મહામુનિયાના રાસ આપવામાં આવ્યા છે, તેમજ તેઓ સાગરગચ્છના હતા, તેથી સાગરગચ્છના મુનિયોનું પણ પ્રસંગોપાત વર્ણન કરવામાં આવ્યું છે. શાંતિદાસ શેઠના સમયમાં શ્રી સત્યવિજયજી પન્યાસ ઝિદ્ધારક થયા, તેથી અને તેમને રાસ -
For Private And Personal Use Only