________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
ના માનવતા ખતાબ હતા કે જે ખિતાબ જહાંગીર બાદશાહ તરથી તેમના પિતામહના પિતામહ અને તેના પિતામહને શાંતિદાસશેઠને આપવામાં આવ્યા હતા અને તેમને તે ઉપરાંત માગલ શહેનશાહને લશ્કરી કિંમતી મદદ આપવા માટે ખાસ રાજ્યકૃપાના ચિન્હ અર્થે અમદાવાદની ટ્રાઈ ડયુટી ( જકાત ) વસુલ કરવાના હક મળ્યેા હતા અને આ હક શ્રીટીશ સરકાર તરફથી પણુ સંમત થયા છે અને તે માટે વાર્ષિક રૂા. ૨૨૦૦ ની રકમ નિર્ણીત કરવામાં આવી છે. આ બધું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં આપેલ છે.
શે। ચિમનભાઇ નહેર પ્રજાના હિતના સવાલેામાં ધણા ઉત્સાહ ભર્યાં ભાગ લેતા હતા. સાંસારિક, ધાર્મિક અને કેળવણીને લગતા બધા જૈન સવાલાએ તેમનું ખાસ ધ્યાન ખેચ્યું હતું. તેના પરિણામે અમલનેરમાં મળેલી જૈન પ્રાંતિક કેન્દ્રરન્સના પ્રમુખ, અમદાવાદની જૈન ક્રાન્ફરન્સની સ્વાગત કમીટીના પ્રમુખ, અને છેલ્લે સરદાર બહાદુર લાલભાઈના હમણાંજ થયેલા સ્વર્ગવાસને લઇને આણુંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ થયા હતા, અને તે પહેલાં એક કાર્યવાહક હતા. સાર્વજનિક ખબતમાં પણ તેમણે અમદાવાદની મ્યુનિ. સીપાલીટીના એક મેમ્બર અને ગુજરાત કોલેજાડૅના મે’અર તરીકે ઉપયાગી સેવા બજાવી છે. સ્વભાવે શાંત, સરલ, વિવેકી અને મિલનસાર હતા; અને પ્રવાસગમનના ધણા શૈાખીન હતા. તેમણે આખા હિંદના પ્રવાસ કર્યાં છે.
જૈન કામમાં આ વર્ષે અને ટુકમાં થાડા મહિનામાંજ વીર પુરૂષાની જ્બુરી ખાટ પડી છે. સરદાર બહાદુર શેઠે લાલભાઈ દલપતભાઇના શેકજનક સ્વર્ગવાસના ભણકારા તાજાજ છે તેવામાં એકાએક ગઈ તા. ૨૧ મી આગસ્ટ ૧૯૧૨ ને દીને માત્ર ૨૮ વર્ષની અલ્પ ઉમરે સહજ ખીમારી ભાગવી ચિમનભાઇ શેઠે સ્વર્ગસ્થ થયા છે. તેમને સદ્ગતિ અને શાંતિ પ્રાપ્ત થાઓ !
આ ભલા, સરલ, અને ખાનદાન વીરના સ્વર્ગવાસથી જૈન કામને અને ગુજરાતી સમસ્ત પ્રજાને અત્યંત દુ:ખ થયું છે. અમદાવાદના જાણીતા શહેરી સર ચિનુભાની સ્તુત્ય હીલચાલથી એમના સ્મારક તરીકે ટાઉન હૉલ ખાંધવાની હીલચાલ પણ થઈ છે. આ હીલચાલથી તુરંતજ રૂ. (૨૫૦૦૦ )ની રકમ ભરાઇ ગઇ છે.
શાંતિદાસ શેઠના વંશજો બહુ ખઢાળા વિસ્તારમાં ફેલાયા છે, તે તેમનું વંશવૃક્ષ જોતાં તુરતજ માલુમ પડે છે. તેમના કુટુંબને ગચ્છ–સાગરગચ્છ છે, તે વશો પૈકી શેફ દલપતભાઈ ભગુભાઈ અને તેમના પુત્ર શેઠે લાલભાઇ
For Private And Personal Use Only