________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરે હયાતિ હિમાભાઇની, દીસે દેશ દેશ; કંઈ કંઈ કામ સુધારીને, બાંધ્યા બંધ વિશેષ.
ભુજગી-છંદ, જુઓ બંધ જઈ પાંજરાપોળવાળા, જુઓ ગામ ગામે ઘણી ધર્મશાલા; જુઓ ટુંક શત્રુંજયે જે સુહાતી, હીમાભાઈની તે હમેશા હયાતી જુઓ પુસ્તકસ્થાન ભદ્ર પાસે, રચ્યું રૂડું વિદ્યા વધે એવી આશે; બીજે એવી જગ્યા નથી તે જણાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી જુઓ આબુની ઉપરે આપ જેને, સુધાર્યો જુનાં દેવળ શેઠ જૈને; થઈ લાખ લેખે સુકીર્તિ લખાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. કહું શું કથી કેટિધા કામ કીધાં, દયા લાવીને દીનને દાન દીધાં; વખાણે જુઓ વાત તે સર્વજાતિ, હીમાભાઈની તે હમેશાં હયાતી. કીધું કામ આરાસણે એજ રીતે, બીજે ઠામ ઠામે જુઓ ચાહી ચિત્તે; જુનાં મંદિરે મૂત્તિઓ થૈ થપાતી, હિમાભાઈની તે હમેશાં યાતી. જુઓ સંધ શત્રુંજયે જેહ જાતા, કરે ભૂપને કેક ત્યાં બેટી થાતા; કીધી માફ તે રીત ત્યાં જે અપાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી. રહે જ સંભારતા રાયરાણુ, ગુણે ગામ ગામે તમામે ગણુણ; ભણે ભાવથી સજીને ભાતભાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. જુઓ ખુબ જેણે કરી તીર્થ જાત્રા, લખે લેખ વિસ્તારી થાકે વિધાત્રા; કયું તો નથી પૂરી એકે કથાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી
વળી તે વખતના ઇતિહાસકાર સ્વ. મગનલાલ વખતચંદે પોતાના અમદાવાદના ઇતિહાસમાં (સને ૧૮૫૧ માં) આ પ્રમાણે જણાવ્યું છે –
શાંતિદાસ પછી લખમીચંદ, ખુશાલશા, નથુશા, વખતશા ને પાનાભાઈએ અનુક્રમ પ્રમાણે નગરશેઠાઈનું કામ ચલાવ્યું, ને હાલ હીમાભાઈ નગરશેઠની પદવીએ છે. તેમની ઉમર આશરે વરસ ૬૭ ની છે કે આજને સમે અમદાવાદમાં એ મોટા સાહુકાર ને સર્વેને માથે શ્રેષ્ઠ છે. ને એ પુરૂષના જન્મ ચરિત્રની બીના જે મળી હોત તો ઘણું સારું થાત, પણું બરાબર મળી નહિ.”
અમદાવાદને ઇતિહાસ સને ૧૮૫૧ ૫. ૨૭૫,
For Private And Personal Use Only