SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રચીસ વર્ષ થયા બાદ કરવાં, રોગોને નાશ કરીને તેથી બચતા રહેવા માટે આયુર્વેદનું જ્ઞાન મેળવવું અને તે પ્રમાણે વર્તવું. જયારે સુધા લાગે ત્યારે બે ભાગનું ભજન કરવું અને એક ભાગનું જલ, જ્યારે તૃષા લાગે ત્યારે પીવું, અને એક ભાગનું ઉદર ખાલી રાખવું. પચ્ચીસ વર્ષ પછી લગ્ન થાય તે પણ પ્રજોત્પતિ માટે પુરૂષ અને ચી ત્રણ ચાર વર્ષે એકવાર બેવાર એક બીજાના કાયલનથી પરસ્પર ઈચ્છાએ દેહમથુન સંબંધમાં આવી શકે છે અને કામના ઉભરાઓને શમાવી દેહ વીર્યની આત્માની પેઠે રક્ષા કરે છે અને એવા વર્તનમાં સર્વથા તપ સંયમ ધર્મ માને છે તે દીર્ધકાલ પર્યતા જીવી શકે છે. પુત્ર અગર પુત્રીરૂપ ગર્ભ રહ્યા બાદ જેઓ સર્વથા મનવાણી કાયાથી મિથુનકામને ત્યાગ કરે છે અને પુત્ર અગર પુત્રી પ્રસવ્યા બાદ બે વર્ષ પછીથી જેઓ વર્ષમાં એકવાર પ્રજોત્પત્તિ માટે પરરપર કાયમૈથુન સંબંધમાં વિધિ પૂર્વક આવે છે અને પચ્ચાશ વર્ષ થયા પછી સર્વથા પુરૂષ અને સ્ત્રીઓ કાયા મન થકી વીર્ય રક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરે છે તે શતવર્ષ ઉપર પણ જીવી શકે છે. રજોગુણ, તમોગુણ આહારને ત્યાગ કરે અને સાત્વિકાહાર જલનું ક્ષુધા પિપાસા લાગતાં ગ્રહણ કરવું. શરીર મન વાણુથી અતિ પરિશ્રમ ન કર. પ્રાણાંત પણ પર સ્ત્રી સાથે મૈથુન ને કરવું, અને સ્ત્રીએ પર પુરૂષ સાથે પ્રાણુત પણ મૈથુન ન કરવું. કામેત્પાદક સર્વ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવું. રવમાદિ દ્વારા પણ વીર્યને પાત થાય એવી સર્વ વાસનાઓ અને પ્રવૃત્તિથી દૂર રહેવું. દરરોજ પ્રાણાયામ કરવા તથા શારીરિક અને પરિશ્રમના અભાવે કસરત કરવી. અજીર્ણ પ્રસંગે ઉપવાસ કર. એક માસમાં એમાં ઓછા બે ઉપવાસ તે અવશ્ય કરવા અને ઉષ્ણ જલ વાપરવું તેથી શરીરમાં મલ રહી શકતો નથી. દારૂ વગેરે દુષ્ટ - સનેથી મુક્ત રહેવું. અતિ ક્રોધ, અતિ માન, અતિ માયા, લેબ For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy