SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે હિંદુઓ આ સમજે તે તેઓ અનેકદર્શનમતભેદે જે દેશની ધર્મની અને આત્માની અવનતિ કરે છે તે કરી શકે નહીં અને બુદ્ધિપૂર્વક મધ્યસ્થષ્ટિથી વર્તીને સર્વવિશ્વનું પ્રગતિસુખકારક ઐક્ય સાધી શકે. સર્વજ્ઞકથિતસ્યાદ્વાદનયદષ્ટિને ધ્યાનમાં રાખીને ઉપનિષદોને અર્થે કરવામાં આવે તે વૈદિક હિંદુઓને તે તરફનું જાણવાનું મળી શકે તથા જૈનેને પણ તે ઉપનિષદાદિને સમ્યમ્ અર્થ કે છે તે જાણવાને લાભ મળી શકે. તે માટે મારા મનમાં પ્રથમ ભગવદ્ગીતાને સમ્યગ જૈનષ્ટિએ ભાવાર્થ લખવાને વિચાર ઉઠશે પણ તે પહેલાં ઉપનિષદે કે જે વેદગ્રુતિ છે તેને સાપેક્ષનએ સમ્યગ અર્થ કરવા વિચાર થયે. દશઉપનિષદે પૈકી ઈશાવાસ્યપનિષને અર્થ લખવા પ્રારંભ કર્યો. વિ. સં. ૧૯૭૮ નું માસું મેસાણામાં સંધના આગ્રહથી કરવામાં આવ્યું. ત્યાં ઈશાવાસ્યપનિષને અર્થ માસું પૂર્ણ થયા બાદ માગશર સુદિ એકમથી લખવા પ્રારંભ કર્યો. મેસાણથી માગશરવદિ બીજે વિહાર કરી ખેરવા, સાંગલપુર, લાંઘણજ, વડસમા, ખરજ, વડુ થઈ પાનસર મુકામ કર્યો. ત્યાંથી કલેલ, શેરીસા હૈ વિ. સં. ૧૯૭૯ માં માગશર વદિપાંચમે કણબીના ઘરમાંથી ખોદતાં નીકળેલ શ્રી શાંતિનાથની પ્રતિમાનાં દર્શન કરવા સંઘપૂર્વક માગશર વદિતેરશે વામજ ગયા અને પ્રતિમાનાં દર્શન ક્યા ત્યાંથી આદ્રજ, સાથળ હૈ ગેધાવી ગામમાં પોષસુદિ એકમે પ્રવેશ કર્યો ત્યાંથી પિષસુદિઆઠમે સાણંદમાં પ્રવેશ કર્યો. સાણંદમાં માઘસુદિપાંચમે શ્રી પદ્મપ્રભુજિનેશ્વરની પ્રતિષ્ઠા કરી. પિષવદિ અમાવાસ્યાએ ઈશાવાસ્યપનિષદને ભાવાર્થ લખી પૂરે કર્યો અને પ્રજાહિતાર્થ મુદ્રાલય પ્રેસમાં માધવદિમાં છાપવા માટે આપે. વિ. સં. ૧૯૮૦ ના માગશર માસમાં ઈશાવાસ્યોપનિષત્તે ભાવાર્થ પૂર્ણ છપાઈ ગયે. પ્રેસવાળાની તાકીદથી ઈશાવાસ્યપનિષદ્વી પ્રસ્તાવના લખવી શરૂ કરી છે. ભણ્ય ભૂલે અને તારે ડૂબે એ For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy