SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાનમાં ભરત બની જવું. પૂર્ણાત્મા છે એ સતત ઉપયોગ ધોરણ કરે. દુનિયાની સર્વ બાબતોમાં વહેતી વૃત્તિને ક્ષય કરે. મનમાં પૂર્ણને પ્રેમ કરે એટલે અપૂર્ણને રાગ સહેજે ટળવાને. પૂર્ણમાં પર્ણના ઉપગી થૈ રહેવું. સવવૃત્તિને અને પ્રવૃત્તિચિને અનુક્રમે પૂર્ણ સાધન તરીકે વાપરવી, એમ સતત પૂર્ણની સાધના કરતાં અનેક દુઃખના પ્રસંગમાં થતી દીનતા-કાયરતા અને ભીતિને નાશ થશે, મુખપર પૂર્ણતાના આનંદની પ્રસન્નતા તરવરશે. વાણમાં અને આચરણમાં સ્વતંત્રા–નિર્ભયતા અને મસ્તદશાનાં ચિન્હ પ્રગટતાં અનુભવાશે. બાહ્યસુખના પ્રસંગમાં પણ બાહ્ય સુખમાં મેહ મમતા ટળતી દેખાશે, તથા બાહ્ય સુખ કીર્તિ વૈભવ પદવીઓમાં મહત્વ જણાશે નહીં, બાહ્યમાં રાજયા. દિકમાં અંતરથી અહંતા મમતા ટળતી જશે. બાહ્ય વસ્તુઓના ભેગની ઈચ્છાઓ તથા ક્રોધ માન માયા અને લેભાદિ કવાની મંદતા તથા ક્ષીણતા થતી જશે. નામરૂપમાં આત્માધ્યાસ ટળી ગએલે જણાશે, આત્મરૂપ પરમાત્માની સાથે અભેદભાવ વધતું જશે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનન વિચારે તથા આચારે ટળતા જશે અને આત્મા આગળ વધતે માલુમ પડશે. ધર્મધ્યાન તથા શુકલધ્યાનનું અવલંબન લેનાર આત્મા થશે. દેશવિરતિ, સર્વવિરતિ, અને અપ્રમત્તાદિ ગુણસ્થાન પર આત્માનું આરહણ થએલું અનુભવાશે. આત્માના પૂણુનન્દને અનુભવ આવશે અને જડવિષયરસની વૃત્તિ ટળતી સ્વયમેવ જણાશે. જ્યાં ત્યાં શુભાશુભપ્રસંગમાં પણ અંતરથી આત્મ સમભાવી જણાશે. મન અને આત્માની દિશા જૂઠી જણાશે. સર્વવસ્તુઓને સંગે છતાં તથા તેઓને વિયેગ છતાં તથા સંગ વિયેગની વિચારણા વિના પણ આત્મા આપે આપ પૂર્ણ અનુભવાશે. સર્વધર્મશાસ્ત્રોમાંથી આત્માની પૂર્ણતા અનુભવવાનું રહસ્ય ખેંચાશે અને રાગદ્વેષાદિ વૃત્તિનું તથા For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy