SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાથી પ્રકટબ્રહ્મ ધણું દૂર ડાય છે. ભાવ અને દ્રવ્ય એમ બે પ્રકા રના બ્રહ્મચર્યથી બ્રહ્મ પાસે આપોઆપ દેખાય છે માટે સર્વ પ્રકારના દુઃખરોગ ઉપાધિ આધિ વગેરેનો નાશ કરનાર બ્રહ્મચર્યની પ્રભુની પેઠે આરાધના કરતાં પ્રભુની પ્રાપ્તિ થાય છે, જેને પ્રભુ પ્યારા લાગે છે તેને લક્ષ્મી આદિ પરિગ્રહ પ્રિય લાગતા નથી. પ્રભુમાં પ્રેમ ભમતાભાવ પ્રગટે છે તો પછી ધનાદિકમાં પ્રેમ મમતા રહેતી નથી. જડવતુ ક્ષણિક છે તેના મેહ કરવા નિષ્ફળ છે. આ વિશ્વમાં કાઈ વસ્તુ મારી નથી તેની અદ્ભુતામમતા તે કેટલ ભ્રાંતિ છે એવા દૃઢ નિશ્ચય થયા પછી હૃદયમાં પાસે જ પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. શરીરમાં આત્મદેવ તે હું પોતે પોતાના છું. સર્વ આત્મા તે મારા છે અને સર્વે આત્માઓને હું છું. એમ ભાવના ભાવવી અને ધન આદિ સર્વ પદાર્થોં તે ધૂળના ઢગલા સમાન છે એવા નિશ્ચય થતાંની સાથે પ્રભુની ઝાંખી થાય છે. પરમેશ્વરપર પ્રેમ ધારણ કરીને પરમેશ્વર પ્રિય ગણવા હાય અને તેની પ્રાપ્તિ કરવી હાય તા સજડવસ્તુપર થતી મમતા મૂર્છા વૃત્તિના હામ કરવા જોઇએ. પોતાની આંખે બાહ્ય લક્ષ્મી ધર, રાજ્ય, કુટુંબ નષ્ટ થતું ઢેખવામાં આવે તે પણ શેક, ચિંતા, ખેદના એક અંશ માત્ર પણ ન પ્રગટે અને પ્રભુમાં મન મસ્ત રહેલું દેખાય તે સમજવુ કે આત્મરૂપ પરમેશ્વર નજીક પ્રગયા છે અને નજીક આપો આપ મળવાની તૈયારીમાં છે. મિરાષિની પાસે ઇન્દ્ર આવ્યા અને કહેવા લાગ્યા કે હૈ નમિરાજર્ષિ ! આ રૃખા ! શહેરની વચ્ચા વચ્ચે મિથિલા નગરીમાં તમારા રાજમહેલ સળગે છે. તમારી રાણીઓ અગ્નિમાં બળે છે તેની ખૂમા સભળાય છે માટે તેને બચાવે. મિરાજર્ષિએ કહ્યુ કે હે ઇન્દ્ર ! મારી મિથિલા નગરી નથી. આ જગમાં મારૂ કંઈ નથી અને મારૂં કંઇ પણ ખળતું નથી. શુદ્ધાત્મા તેજ હું છું તે ખળતા નથી અને તે હણાતા For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy