________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦૮)
શ્રી ગુલ મન વચન અને કાયાથી ભક્તિ કરવી, ગુરૂની ભક્તિવિના જે પરમાત્માની ભક્તિ જ કરવા ધારે છે તેને પરમાત્માની ભક્તિ ફળતી નથી. કારણકે જે જ્ઞાન આપનાર સાક્ષાત્ ઉપકારી ગુરૂની ભક્તિ કરતું નથી તે પરમાત્માને શી રીતે ભજી શકે? અલબત સેવી શકે નહિ. દાખલ કે જેમ કોઈ મનુષ્ય પોતાની માતાનો ઉપકાર જાણું શકતા નથી તે પિતાને ઉપકાર શી રીતે જાણી શકશે? અલબત જાણી શકે નહિ, માટે ગુરૂભક્તિપૂર્વક પરમાત્માની ભક્તિ સફળ છે. ગુરૂની ભક્તિથી ભવ્ય આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે. વેશ્યાના જેવા જે સ્વાથી હાજી હા કરનારા મનુષ્ય સદગુરૂને પ્રાપ્ત કરી શકતા નથી. ધારના ખીલા જેવા જેભક્તો છે તે પણ ગુરૂની શ્રદ્ધા ભક્તિથી રહિત છે માટે ઉત્તમ ભક્ત બની શ્રદ્ધાથી સદ્દગુરૂની ભક્તિ કરી સજ્ઞાન પ્રાપ્ત કરવું.
આ પ્રમાણે પરમાત્મા અને સદ્ગુરૂની ભક્તિ કરવી, બાકી જે જે સત્પરૂ હોય તેમની પણ યથાયોગ્ય ભક્તિ કરવી. સંઘની ભક્તિ કરવી. આ પ્રમાણે જે ભક્તિનું આરાધન કરે છે તે પરમસુખ પ્રાપ્ત કરે છે, પાપનો ક્ષય કરે છે, ઉચ્ચ થતો જાય છે, જગતમાં પરમપૂજ્ય બને છે. પરમાત્મરૂપ થઈ સદા શાશ્વત સુખ ભેગવે છે.
For Private And Personal Use Only