________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્તિ .
(૧૭) કે જિનવરનું નામ સાચું છે. પ્રભુને ગાવાથી હૃદય નિર્મળ બને છે, જિનેન્દ્રની ભકિત વિના સર્વ કૃત્ય કાચાં છે.
લુણવિના જેમ ભેજનમાં રસ પડતો નથી, તેમ ભક્તિવિના સેવા પણ લુખી છે. દેવની ભકિતથી મોક્ષનાં સુખ પ્રાપ્ત થાય છે. ભકિતવિના જગતના જીવ મેહ માયામાં ફસીને દુઃખી થાય છે.
શ્વાસોશ્વાસે પરમાત્મા સ્વરૂપનું સ્મરણ કરવું. પર માત્માજ ધ્યેયરૂપે હૃદયમાં ધારણ કરવા. પ્રેમની ભક્તિમાં પ્રભુ અને ભક્તને કશું અંતર રહેતું નથી. ' અર્થાત્ પરમાત્મરૂપ ભક્ત બને છે. પરમાત્માની પ્રતિમાદ્વારાએ પરમાત્માની ભકિત કરીને પણ પરમાત્મસ્વરૂપ હૃદયમાં ધારણ કરવું.
ભકિતના જે જે અંગે શાસ્ત્રમાં કહ્યાં છે, તે સર્વ સુખકારી અંગેનું સેવન કરવું.
પ્રભુભકિતવિના હે ભવ્ય છે ! સ્મૃતિમાં રાખશે કે આ સંસાર પરિભ્રમણને પાર આવનાર નથી. હે બંધુઓ ! અનેક નઠારી ટેવો તમારામાં હશે તે પણ સત્ય ભકિતથી નાશ પામશે.
પરમાત્માપણુ પ્રત્યેક આત્માઓમાં સત્તામાં રહેલું છે. પશુ કર્મથી આચ્છાદિત થયું છે. પણ તે પરમાત્મપશુને પ્રગટ ભાવ છે તે ભકિતના આધીન છે. સર્વ
For Private And Personal Use Only