________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
શ્રી ગુ . રૂપ ધન જાળવ્યું હતું, તેમ સ્ત્રીઓએ બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઈએ.
સ્થૂલિભદ્ર અને સુદર્શન શેઠનાં ચરિત્રો વાંચી પુરૂપોએ પણ બ્રહ્મચર્ય પાળવું, બ્રહ્મચર્ય અમૂલ્ય ચિંતામણિ છે–શ્રીયશોવિજયજી ઉપાધ્યાય ભગવાન કહે છે કે – મંત્ર ફલે જગ જશ વધે, દેવ કરેરે સાનિધ્ય, બ્રહ્મચર્ય ધરે જે નર, તે પામે નવનિધ. - બ્રહ્મચર્ય ધારણ કરવાથી મંત્ર સાંધતાં મંત્રે ફળ આપે છે અને દેવતાઓ સહાય કરે છે. જે પુરૂ બ્રહ્મચર્ય ધારણ કરે છે તે નવનિધિ પામે છે; બ્રહ્મચર્ય ચારિત્રનું મૂળ છે. બ્રહ્મચર્યથી સંકલ્પબળ વૃદ્ધિ પામે છે. અનેક ઉપદ્રવાનો નાશ થાય છે. ભૂતપ્રેત પિશાચ વિગેરે ક્ષુદ્ર દેવતાઓનું જોર રહેતું નથી. બ્રહ્મચર્ય એ મોટામાં મોટા મંત્ર છે. ઉર્ધ્વરેતા પુરૂષ આત્મશક્તિને પ્રકાશ કરી શકે છે. બ્રહ્મચર્યથી ધર્મને તથા દેશનો ઉદ્ધાર થાય છે. બ્રહ્યચર્મ ધારણ કરનારાઓ અમરપદને પામ્યા છે. આત્માના સહજ સુખનો જે વિશ્વાસ હોય તે મૈથુનને કણ સેવે ? અલબત કેઈ સેવે નહીં. બ્રહ્મચર્ય ઉત્તમ ધર્મ છે. બ્રહ્મચર્ય પાળવામાં કોઈ જાતનું ખર્ચ કરવું પડતું નથી, સુવર્ણનાં દેરાસરે કરાવવા કરતાં પણ બ્રહ્મચર્ય ધારણથી વિશેષ લાભ મળે છે. બ્રહ્મચર્યથી પરમબ્રટાની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only