________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) સમ્રતે તરી તેની પેલી પાર જાય છે. શ્રી વિરપ્રભુએ મૈત્રીભાવના ધારણ કરી અનેક દુના ઉપસર્ગો સહન ક્ય, ચંડકેશિયા સ૫ શ્રી વીર પ્રભુને દંશ દીધે તે પણ વી..., જરામાત્ર મૈત્રીભાવનાથી ચલાયમાન થયા નહીં. એવી મેત્રીભાવનાની ઉત્તમતા! !! શ્રી વીરપ્રભુએ ચંડકેશિયા સર્પ પર કરૂણું કરી ઉપદેશ દેઈ તેનું આત્મહિત કર્યું. જગતમાં અનેક દેષથી દેષિત અને દેખી કોઈની નિંદા વા ભૂંડું કરવું નહિ. શ્રી વીરપ્રભુના પગલે ચાલી સર્વ ની સાથે મૈત્રીભાવના રાખવી એ કંઈ સામાન્ય વાત નથી. લોઢાના ચણા ચાવવાની પેઠે મૈત્રીભાવના રાખતાં અનેક સંકટમાંથી પસાર થવું પડે છે. રાગદ્વેષના એવા તે પ્રપંચ છે કે હદયમાં ઉઠતી મૈત્રીભાવનાને ક્ષણમાં નાશ કરી દે છે. મનુષ્ય પોતાના આત્મા સમાન અન્યને દેખે એ તેને સ્વાભાવિક ધર્મ છે કિંતુ તેની આડે આવનાર ઈર્ષ્યા, અદેખાઈ, સ્વાર્થ વગેરે દે છે. કેટલાક તે પશુ પંખીમાં આત્મા માનતા નથી તેવા જીવો પશુ પંખીને પોતાના આત્મા સમાન શી રીતે માની શકે ? જે જીવો પશુ પંખીનામાં પોતાના સમાન અન્ય આત્માઓને વાસ છે એમ માને છે તેજ પશુ પંખીઓના મિત્ર થઈ શકે છે, અન્ય જીવોનો નાશ કરતાં પોતાના આત્માને પાપકર્મ લાગે છે. આ સિદ્ધાંત જ્યારે અનુભવમાં આવશે
For Private And Personal Use Only