________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૬ ) ગ્રામ. (૧૨)
ગઝલ.
સહુ શોક ચાલ્યા જાય છે, આનંદ દેશે જાઉ છું; સુણી નામ મુજ ઇશ્વર તણું, ખાંતેથી ખુશી થાઉં છું. ૧ મુજ મન તણી ભ્રમણ ગઈ, અંતર થકી અલગી થઈ પાપી પ્રદેશ તજી અને, પુણ્ય પ્રદેશી થાઉં છું. ૨ જે દેશ હે મહાર ગયે, તે આજ સહારો દેશ નહી; દુઃખમય પ્રદેશ થકી હવે, સુખમય પ્રદેશી થાઉં છું. ૩
હું દેહ છું' એવી મતિ, મહારી હતી અજ્ઞાનમાં અજ્ઞાન પથ તને હવે, જ્ઞાન પ્રદેશી થાઉં છું. ૪ સહુ શાંતિમય સેહ્યામ, ઉઘાન છે આમા તેણે તજી વિષય બાગ બીહામણું, આત્મ પ્રદેશી થાઉં છું. ૫
નિગતિશ. (૧૨)
ગઝલ.
તુજ નયન દેખી ગુલાબની, કમળ કલિ ઝાંખી થઈ તુજ વદન દેખી ચંદ્રની, કાંતિ જરૂર ઝાંખી થઈ. ૧ તુજ મૂર્તિ હૈડું હેરતી, હારી નજરે જ્યારે પડી,
ત્યારે મધુર જગ વાટિકાની, રમ્યતા ઝાંખી થઈ. ૨ તુજ રમ્ય પંથ વિલાસિની, દિલમાં ગતિ જ્યારે પડી; ત્યારે સુભગ આ હંસની, ગતિ ચાલતાં ઝાંખી થઈ. ૩
હારી પ્રીતિ જ્યારે થઈ, નજરે નજર જ્યારે થઈ તુજ રમ્ય ભાવ વિલાસથી, જગની પ્રીતિ ઝાંખી થઈ. ૪ ભમતો હતો જગ પંથમાં, રમત હત નવ રાત્રિમાં જગ પંથને નવ રાત્રિથી, હારી પ્રિયા ઝાંખી થઈ. પ
For Private And Personal Use Only