________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीसुमतिजिनस्तवन. (५) મહારે દીવાળી થઈ આજએ રાગ
દુનિયાના દુષ્ટ દમામ, સુમતિ પ્રભુ સુખદાઈ. એ ટેક. સુમતિનાથ ? સુમતિ શુભ દેજે, કુડમતિનું નથી કામરે, ધર્મ ધ્યાન કરવામાં ધીંગી, હૈયે દેજે હામ. સુમતિ–૧ વ્હાલ વધે છે હાલમ? તુજ પર, રૂપ અતિ રમણીય ક્ષણ ક્ષણ પ્રત્યે પ્રીયતા પ્રગટે, પ્રભુ લાગે છે પ્રિય. સુમતિ-૨ સુમતિ વિના શું ? સાધન કરીએ, કુડમતિને અંધકારરે, દષ્ટિ ન દેખે કઈ વસ્તુને, અમુઝણું થાય અપાર. સુમતિ-૩ સુમતિ દયા દર્પણ છે સાચુ, દીવ્ય તત્ત્વ દેખાયરે; અમૂલ્ય રત્ન નિજ હાથે આવે, શાશ્વત સુખ સહાય. સુમતિ–૪ દર્પણ ઉંધું દુષ્ટ મતિ છે, દેવ નહી દરશાયરે; દુર્મતિ માટે દૂરે કરીએ, જન્મ ન એળે જાય. સુમતિ–૫ દેહ દેવળમાં દીપક પ્રગટે? જાય તિમિર ઘન
www.kobatirth.org
For Private And Personal Use Only