________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
જેને ન અંત પણ અંત વડે ગવાતી,
જેને ન તંત પણ તંત વિષે છવાતી; એવી મહા જિનસમૂહ તણી સુવાણી,
આ વિશ્વમાં સુખદ સૂરિજને પ્રમાણે. ૩
છે ચાર હસ્ત મૃદુ નામજ દૂરિતારી, સંભારતાં સકળ કષ્ટ નિવારનારી; વણે સુગૌર વરદા જય દીવ્ય દેવી, રહેજો દિલે અજિતના સુરધેનુ જેવી. ૪. श्री अभिनंदन जिनस्तुति.
હરિગીત, અભિનંદન! લ્હારા પદે, મ્હારા સદેવ પ્રણામ છે, મુજ હૃદયમાં લ્હારૂં સદા, ધીંગું મજાનું ધામ છે; આનંદ દ્યો અંતર વિષે, ભ્રમણું હૃદયની ભાગજે, આ દાસના ઉપર સદા, કરૂણાની દષ્ટિ રાખજે. ૧. સઘળા સ્થળે સઘળા સમય, સઘળા પધારી સિદ્ધજી; અમ દોષ દુઃખ નિવાર, છો પૂર્ણ કામ પ્રસિદ્ધજી,
www.kobatirth.org
For Private And Personal Use Only