________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮) सवारे शुं पधार्या छो ? (३६६)
ગજલ. રમીને રાતી બીજે, સવારે શું પધાર્યા છે?,
બનાવી વાત બીજે, સવારે શું પધાર્યા છે ?-ટેક વિરહથી આપના હાલમ?, અરે? હું તો બળેલી છું;
બળેલી બાળવા માટે, સવારે શું પધાર્યા છે ?. રમી. ૧ વિરહથી આપના હાલમ, અરે? હું તો તપેલી છું;
તપેલી તાવવા માટે, સવારે શું પધાર્યા છે?. રમી. ૨ હૃદયના સ્વામીજી થઈને, હૃદયથી દૂર ચાલે છે;
કહો છે શું? કરે છે શું?, સવારે શું પધાર્યા છો?. રમી. ૩ હવે જ્યાં રાત રમિયા, પધારો તે પ્રિયાને ત્યાં
ગજબ ઘાયલ કરી દિલને, સવારે શું પધાયા છો?. રમી. ૪ કરી મેં જીંદગી આખી, સદા માટે ચરણ અર્પણ
કરા એ પરિત્યાગી, સવારે શું પધાર્યા છે ?. રમી. ૫ રસીલા ? આ હૃદય માટે, નથી દરકાર કંઈ હમને,
અજિતના નાથજી રસિયા, સવારે શું પધાર્યા છે. રમી. ૬
રર્સી ગાય રાત. (૨૭)
ગજલ. રસીલી જાય રાતલી, પ્રભુજી? ઘેર આવોને, તહારી જોઉં વાટડલી, પ્રભુજી? ઘેર આવોને. ટેક.
૧ કુમતિના સાથે આત્મા રમણ કરીને સુમતિના ઘેર આવે છે ત્યારે સુમતિને આ ઉપાલંભ છે.
For Private And Personal Use Only