SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર૩). પ્રમુનો શાશ. (૩૬) ગજલ સહિતી. આશક થયેલો આદમી, કદી કેઈથી ડરતે નથી; આશક થયેલ આદમી, મરવાથી ડરતે નથી. ૧ આશક થયેલ આદમી, નવ કોઈની પરવા કરે, આશક થયેલો આદમી, ભજન નિરાંતે નવ કરે. ૨ આશક થયેલા મને, નિજ દેહની પરવા નથી; આશક થયેલા મસ્તને, નિજ ગેહની પરવા નથી. ૩ આશક થયેલા મસ્તને, નિજ પ્રાણની પરવા નથી; આશક થયેલા મસ્તને, ધન માલની પરવા નથી. ૪ આશક થયેલા મસ્તને, પૃથ્વી ઉપર સૂવું ગમે; આશક થયેલા મસ્તને, સૂવું ઘdભર ના ગમે. ૫ આશક થયેલા મસ્તને, વાર્તા જગતની ના ગમે; આશક થયેલા મસ્તને, ના વાંચવાં છાપાં ગમે. ૬ આશક થયેલા મસ્તને, ઘોડા અને ગદ્ધા સમા; આશક થયેલા મસ્તને, પંડિત બને મૂંગા સમા. ૭ આશક થયેલા મસ્તને, ચતુરાઈ જગની ના ગમે; આશક થયેલા મસ્તને, દુઃખ વિશ્વકરાં ના ગમે. ૮ આશક થયેલા મસ્તને, બસ એક તૂ દિલમાં વસે; આશક થયેલા મસ્તને, ઘી દૂર પ્રિયતમ ના ખસે. ૯ સે સો નિશાની ઘેન છે, આલમ વિષે અલમસ્ત છે; મિથ્યા શરમ આ વિશ્વની,એને અજિત પરિત્યક્ત છે. ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy