________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૯ ) રાજા સયા. (૨૨)
ગજલ સહિની. મુજ આંગણે આવી અનેક ક્ષણવારમાં ચાલ્યા ગયા; વિકસિત નયનથી દેખતાં-ની પ્રથમ એ ચાલ્યા ગયા. ૧
એ કયાં થકી આવ્યા અને સ્થળ કોણ પ્રતિ ચાલ્યા ગયા; બિલકુલ ખબર કઈ ના પી, દિશ કણ પ્રતિ ચાલ્યા ગયા. ૨ પૂછયું નિકટના વાસીને કે, કયાં સ્વજન ચાલ્યા ગયા; નિશ્ચય જવાબ મળ્યો નહીં, કે કયાં જીવન ચાલ્યા ગયા. ૩ કોઈ કહે તપસી હતા, તાપસ પથે ચાલ્યા ગયા; કેઈ કહે થેગી હતા, યેગી પથે ચાલ્યા ગયા. ૪ કેઈ કહે રાજા હતા, નિજ રાજ્યમાં ચાલ્યા ગયા, કોઈ કહે બ્રાહ્મણ હતા, તે બ્રહ્મ પથ ચાલ્યા ગયા. ૫ વૈષણવ કહે વિષ્ણુ હતા, વૈકુંઠમાં ચાલ્યા ગયા; શૈો કહે કે શિવ હતા, કૈલાસમાં ચાલ્યા ગયા. ૬ જેને કહે અત્ હતા, સિદ્ધાશ્રમે ચાલ્યા ગયા; સાંખે કહે ભકતા હતા, નિજ ધામમાં ચાલ્યા ગયા. ૭ ભકતે કહે ભગવત હતા, ઉંચે પથે ચાલ્યા ગયા; ખ્રીસ્તી કહે ઈશુ ખ્રીસ્તના, આકાશમાં ચાલ્યા ગયા. ૮ મુજને ખબર પડતી નથી કે, એ પ્રભુજી ક્યાં ગયા; આવ્યા અજિત કયાંથી અને, કેવા સ્થળે ચાલ્યા ગયા. ૯ મુંઝાઉં છું પણ વિરહથી, કારણ પ્રિતમ ચાલ્યા ગયા; જગ સુખ ભરેલા દિવસ, તેના સ્મરણથી ચાલ્યા ગયા. ૧૦
For Private And Personal Use Only