SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૩) પાવન વાશે. (૩૨૬) ગજલ સેહિની. નિર્માન રૂપી નર્મદા, મુજને સદા પાવન કરે; સુ સ્નેહ રૂપ તથા સુધા, મુજને સદા પાવન કરે. ૧ સત્ય સ્વરૂપ સાબરમતિ, મુજને સદા પાવન કરે; શાંતિ સ્વરૂપ સરસ્વતિ, મુજને સદા પાવન કરે. ૨ આનંદ અબુંદ અચળ છે, પ્રેમે સદા પાવન કરો; વૈરાગ્ય ગિરિ પણ વિમળ છે, મુજને સદા પાવન કરે. ૩ પાવન કરે તે પળ બધી, પ્રેમે મહને પાવન કરે, નિષ્કળ કરે તે કળ બધી, પ્રેમે મહને પાવન કરે. ૪ ભાવ સ્વરૂપ ભાગીરથી, ભાવે મહને પાવન કરે; તપ તીર્થરૂપ તાપી નદી, તેમજ હને પાવન કરે. ૫ જ્ઞાન સ્વરૂપ ગોદાવરી, ગરવ સહિત પાવન કરે; દાન સ્વરૂપી કોણ ગિરિ, મમ આમને પાવન કરે. ૬ ચતુરાઈચિત્ત તણી તજૂ, ચેતન? મહને પાવન કરે; મરતાઈ માન તણી તજૂ, નિર્માનતા પાવન કરે. ૭ મળ આત્મના અળગા કરૂં, આત્મા મહને પાવન કરે; પ્રણમું પદે પરમાત્માને, પરમાતમા પાવન કરે. ૮ પ્રણમું પદે સહુ સંતને, સંત મહને પાવન કરે; પ્રણમુ પદે સહુ સિદ્ધને, સિદ્ધ હુને પાવન કરે. ૯ પ્રણમું પદે ગુરૂ અજિતને, ગુરૂ દેવજી પાવન કરે; પ્રણમું પદે અરિહંતને, અરિહંતજી પાવન કરે. ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy