________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
arth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪) ઢો જગતના જેનીઓ, સમજે અને આગળ ધસે, સૂરિજન મુનિને રોગીઓ, સમજ અજિત આગળ ધસે. ૧૨
ચર અાવીને ચાલ્યા ગયા. (૨૨)
ગજલ સહિની. સવણ સરીખા રાજવી, પણ અંતમાં ચાલ્યા ગયા;
કૈરવ સમાન પરાક્રમી, પણ અંતમાં ચાલ્યા ગયા ૧ જ્ઞાની જને શ્રી કૃષ્ણ સમ, પણ અંતમાં ચાલ્યા ગયા;
દાની જને શ્રી કર્ણ સમ, પણ અંતમાં ચાલ્યા ગયા. ૨ સેના તણું નાયક વડા, પણ અંતમાં ચાલ્યા ગયા;
નારદ સમાં ગાયક વડા, પણ અંતમાં ચાલ્યા ગયા. ૩ વાલ્મીક જેવા કવિવરે, પણ અંતમાં ચાલ્યા ગયા;
ને વ્યાસ જેવા ગ્રન્થકા-રક અંતમાં ચાલ્યા ગયા. ૪ ધર્મ દાતા બાદ્ધ સરખા, અંતમાં ચાલ્યા ગયા;
ત્યાગી વડા મહાવીર સરખા, અંતમાં ચાલ્યા ગયા. ૫ શીવાજી સમ તલવારિયા, પણ અંતમાં ચાલ્યા ગયા;
શ્રી રામ સમ અવતારિયા, પણ અંતમાં ચાલ્યા ગયા. ૬ શંકર સમા આચાર્ય જન, પણ અંતમાં ચાલ્યા ગયા :
પંડિત પ્રવર શ્રીનીલક સમ, પણ અંતમાં ચાલ્યા ગયા. ૭ હાથી ઉપર ચઢનાર તે, પણ અંતમાં ચાલ્યા ગયા;
ઘોડા તણું અસવાર તે, પણ અંતમાં ચાલ્યા ગયા. ૮ હું હું કરી ધન મેળવ્યું તે, અંતમાં ચાલ્યા ગયા; સંસાર કેરા પથિક થઈને અંતમાં ચાલ્યા ગયા ૯.
For Private And Personal Use Only