________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) વના અને શુદ્ધ પ્રેમમય સ્વાત્માને કરી પ્રવૃત્તિ કરવી.
શ્રી ચતુર્વિધ મહા સંઘની રક્ષા શાંતિતુષ્ટિ પુષ્ટિ વૃદ્ધિ વા પ્રગતિ ઈચ્છનાર સેવકે સેવાના પ્રત્યેક માર્ગથી વાકેફ થવું જોઈએ. જે મનુષ્ય સેવાધર્મની મહત્તા અવધી શકતા નથી તે મનુષ્ય સેવક પણ બની શકતું નથી અને સેવક પશ્ચાત્ પ્રાપ્ત થનાર સ્વામીપદને પ્રાપ્ત કરી શકતાં નથી. શ્રી મહાસંઘને સેવક બનીને જે મહાસંઘની સ્વશકત્યાનુસાર સેવા કરે છે તે તીર્થક રની સેવા કરવાને અધિકારી બની શકે છે. જે શ્રી મહાસંઘની સ્વશકત્યાનુસાર સેવા કરી શકતો નથી, સંઘની પ્રગતિમાં આત્મભેગપૂર્વક સેવાધર્મ વડે પ્રવૃત્ત થતા નથી તે શ્રીતીર્થકર પરમાત્માને સેવક બની શકતો નથી. શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રીસંઘની આજ્ઞા માન્ય રાખીને નેપાલમાં સ્થૂલભદ્ર વગેરે સાધુઓને વાચના આપી હતી. શ્રીમહાસંઘ એ પશ્ચીશ તીર્થકર છે. તેના ઉપર જેને પ્રેમ નથી, તેને તીર્થકર ઉપર પણ પ્રેમ નથી. શ્રીચતુર્વિધ સંઘના સ્તંભભૂત શાસક આચાચીની,
For Private and Personal Use Only