________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશદેશથી ઘણુ માગણીઓ આવવાથી તૃતિયાવૃત્તિ તરીકે ગુહલી સંગ્રહને બહાર પાડવામાં આવ્યું છે તેથી તેને બહાળે ફેલાવે થશે એમ આશા રાખવામાં આવે છે. પ્રથમ ભાગમાં જૂની કેટલીક
હલીએ ઉમેરી છે તેથી શ્રાવિકાઓને જૂની ગુહલી ગાવાને પણ ઘણે રસ પડશે.
ગુહલી સંગ્રહ પ્રથમ ભાગની પેઠે ગુહલી સંગ્રહ દ્વિતીય ભાગ પણ અનેક પ્રકારની ઉપગી ગુહલીઓથી રચાય છે. દ્વિતીય ભાગમાં એકસો પન્નર હલીઓ વગેરે છે. પ્રથમ ભાગની અને બીજા ભાગની ત્રણસે ઉપરાંત નકલે ભેગી બંધાવવામાં આવી છે. તેથી બંને ભાગેને એક સાથે ઉપયોગ કરનારાઓને સાથે બંધાયેલા બંને ભાગ ઘણું ઉપગી થશે. પહેલા ભાગની સાથે બીજો ભાગ ખરીદવાની ખાસ જરૂર છે. બીજા ભાગની ખુબી એર પ્રકારની છે. ગંહલીએ ગાનારી શ્રાવિકાઓ અવશ્ય બે ભાગ ભેગા બંધાયેલા અગર જુદા મંગાવી લેશે. માણસાવાળા શ્રાવક વીરચંદ કૃષ્ણજીનાં પત્ની સમરતની દ્રવ્ય સહાયની પ્રેરણાથી ગુહલી સંગ્રહ બીજો ભાગ છપાવવામાં આવ્યું છે. વિજાપુરવાળા શેઠ મગનલાલ કંકુચંદનાં પત્ની તરફથી પ્રથમ ભાગની આવૃત્તિ પહેલાં છપાવવામાં આવી હતી. પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પણ વિજાપુરવાળા શેઠ મગનલાલ કંકુચંદનાં ત્રીજી વિધવા પત્ની મંગુની તરફથી તથા વિજાપુરવાળા શેઠ બાદરભાઈ કંકુચંદનાં વિધવા પત્ની ચંચળ મૃત્યુ પામ્યાં તેમના ધામિક ફંડમાંથી તેમના સ્મરણાર્થે છપાવીને તેમની મદદથી બહાર પાડવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળમાંથી પાણીના મૂલ્ય પુસ્તકો છપાવીને બહાર પાડવામાં આવે છે. તેમાં સજજને સહાય કરશે એવી આશા રાખવામાં આવે છે.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ.
સંવત ૧૭૬ માઘ સુદિ પૂર્ણિમા.
For Private And Personal Use Only