________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુહલી સંગ્રહ ભાગ પહેલો.
(પ્રથમ ભાગ)
- તૃતિયાવૃત્તિ.
હલી સંગ્રહ પ્રથમ ભાગની બે આવૃત્તિ સાસ થવાથી ત્રિીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે તેથી શ્રીમદ્ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ કૃત ગુહલી સંગ્રહની ઉપયોગિતા કેટલી છે તેનો વાચકને તુર્ત ખ્યાલ આવી શકશે. જમાનાને અનુસરી તેમણે પ્રથમ ભાગમાં નીતિની, વિદ્યાની, ધર્મની, ગુરૂની, માતા પિતાએ પુત્રપુત્રીઓને શિખામણની તથા દુર્વ્યસન નિષેધ વગેરે સંબંધી પાંસઠ ગુહલીઓ રચી છે. વૈરાગ્યની તથા આત્માના સ્વરૂપની ગુંડલીઓ તથા સાતવાર, બારમાસ તથા પન્નર તિથિઓની ગૃહલીએથી પ્રથમભાગની ઉપયોગિતામાં વૃદ્ધિ થઈ છે. બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં, છઠ્ઠા અને આઠમા ભજન સંગ્રહ પદ્ય ભાગમાં કેટલી ગંહલીએ છે તે પ્રથમ ભાગમાં છપાવવાની હતી, પરંતુ હાલ રહી ગઈ છે તે બીજી વખત છપાવવામાં આવશે. ગુજરાત, કાઠિયાવાડ, દક્ષિણ, વિજાપુર, પેથાપુર, માણસા, અમદાવાદ, મુંબાઈ, સુરત, પુના, પાટણ, પાલનપુર વગેરે મોટા શહેરોમાં અને ગામાં અનેક ગુહલીઓને શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં પિરિસી વખતે ગાય છે. પ્રાચિન પ્રિય શ્રાવિકાઓને માટે પ્રથમ ભાગમાં જૂની છવ્વીસ ગુહલીઓને ચૂંટી દાખલ કરવામાં આવી છે. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પરીક્ષા બોર્ડ સ્થપાયું છે તે પ્રથમ ભાગમાંથી કેટલીક ગુંડલીઓને પાસ કરી કન્યાઓને શિખવીને પરીક્ષા લે છે, તેથી ગુંડલીઓની ઉપગિતામાં ઘણી વૃદ્ધિ થાય છે. જેનશાળાએમાં શિક્ષક ઘણે ઠેકાણે બાળાઓને શ્રાવિકાઓને પ્રથમ ભાગમાંથી ગુંડલીઓ શિખવે છે તેથી ગુંહલી સંગ્રહ પ્રથમ ભાગની
For Private And Personal Use Only