________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજુ. ૮
સમજુ. ૯
( ૩૬ ) કુટુંબ જનમાં કલેશ વધારે નહિ કદી, ભાઈ બેનની સાથે રાખે પ્રેમ જો; ચહ્યાં વ્રતને પ્રાણપતે ત્યાગે નહીં, દયા ધર્મથી જીવ પર રાખે રહેમ જે. મિથ્યા કુગુરૂ સંગત વારે જ્ઞાનથી, જિનેશ્વરના ધર્મ વર્તે ટેક જે; લોક વિરૂદ્ધને દેશ વિરૂદ્ધને ત્યાગતો, જૈન ધર્મથી વિરૂદ્ધ ત્યાગ વિવેક જે. કેધ કરીને પ્રમદા માર ન મારતો. પ્રાણાતે પણ વેશ્યા ઘેર ન જાય જે મુનિ નિંદા અપમાન કરે નહિ સ્વપ્નમાં, સાધુ જનને દાન કરે હિત લાય જે. આય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુંબ જનને કરે નીતિને બેધ છે; જુગટું સટ્ટા ચોરી વ્યસને ત્યાગ, ઘડી ઘડીમાં કરે નહિ તે ધ જે. ધર્મ કરતાં વાર નહીં નિજ નારીને, સુખ દુઃખમાં સમભાવે કાઢે કાળ જે; નિન્દા લવરી અદેખાઈને ત્યાગતો, સજજન મુખથી કબુ ન દેવે ગાળ જે. ધર્ણોદ્ધારક દીન દયાળુ થાવશે, જિન શ્રદ્ધાળુ જીવદયા પ્રતિપાલ જે; બુદ્ધસિાગર પુરૂષ એવા પાકશે, ત્યારે થાશે જૈનધમ ઉદ્ધાર જે.
સમજુ. ૧૦
સમજુ. ૧૧
સમજી ૧૨
સમજુ. ૧૩
For Private And Personal Use Only