________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ધ્યાન વિચાર. મિત્ર, નાથ, વૈદ્ય તથા ગુણને નિધાન જૈનધર્મ છે. વીતરાગભગવંતે કહેલે ધર્મ સત્ય છે, એમ જે ધારે છે તે જીવ શિવસંપદા પામે છે. એ પ્રમાણે બાર ભાવના ભાવતાં ઘણું કર્મ આપે છે અને આત્માભિ. મુખ થવાય છે, ઇતિ બાર ભાવના સંપૂર્ણ.
વળી તે ધ્યાન પાયામાં ચાર ભાવના ભાવવી તે બતાવે છે. ૧ જ્ઞાન ભાવના, ૨ દર્શન ભાવના, ૩ ચારિત્ર ભાવના, અને ૪ વૈરાગ્ય ભાવના.
જ્ઞાન ભાવનાથકી આત્મ સ્વરૂપમાં રમણતા-સ્થિરપણું પ્રાપ્ત થાય છે, મિથ્યાત્વરૂપ અંધકાર દૂર થાય છે, અને પરવસ્તુ સાચી ભાસતી નથી.
દર્શન ભાવનાથકી મંત્ર, તંત્ર અને પારદર્શનીય ચમત્કાર દેખી મોહ થતું નથી. જણાય છે કે દશ્ય સર્વ પુદ્ગલ બાજી છે; એમાં આત્મીય કંઈ નથી.
ચારિત્ર ભાવનાથકી પૂર્વકૃતકને નાશ થાય છે અને નવાં કમ સેકાય છે.
વૈરાગ્ય ભાવના થકી તીવ્ર કર્મ પણ નાશ પામે છે, ઉદાસીનતા પ્રગટે છે, સંસાર અસાર લાગે છે. સ્ત્રી, પુત્ર, ધન, અને કુટુમ્બ, પ્રમુખ વસ્તુ ઉપર રાગ થતો નથી. આ ચાર ભાવના ભાવવાની તીર્થંકર મહારાજે આજ્ઞા કરેલી છે અને તેથી ધયાનમાં સ્થિરપણું થાય છે. મનરૂપી માંકડું આ ચાર ભાવનાથી વશ થઈ શકે છે. મન જીતવું અતિકઠીણ છે. યુદ્ધમાં લાખેગમે સન્યને જે પુરૂષ જીતી શકે છે તે પુરૂષ પણ મનરૂપી માંકડાને વશ કરી શકતો નથી. વળી મનને વ્યાપાર માટે છે કે, જે વ્યાપારથકી સાતમી નરકમાં જવાય છે અને તેજ મનના ધર્મવ્યાપારથી મેક્ષમાં જઈ શકીએ છીએ. કહ્યું છે કે –
For Private And Personal Use Only