SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. નિર્ચથ થશે, તેનાથી તીર્થ પ્રવર્તશે. વળી જૈન શાસ્ત્રમાં ગુરૂને આચાર વૃત્તિ લક્ષણ વગેરે લખ્યું છે તે પ્રાયઃ ઉત્સર્ગમાર્ગની અપેક્ષાએ છે અને આ કાલમાં તે પ્રાય: અપવાદની પ્રવૃત્તિ છે, તેથી ઉત્સર્ગવૃત્તિવાળા મુનિ કેવી રીતે હોઈ શકે? 2ષભનારાચ સંઘયણ, મને બળ, વૈર્ય તથા પ્રકારનું હાલ નથી તે આ કાલમાં તેવી ઉત્સવૃત્તિ જીવ કેમ કરી શકે તેવી ઉત્સર્ગ વૃત્તિ નથી તે પણ દેશકાલાનુસારે નિગ્રંથપણું વતી રહ્યું છે. શ્રી મહાવીર સ્વામીનું શાસન દુપસહસૂરિ સુધી ચાલશે. જેથી શ્રી નિશીથ સૂત્રમાં કહ્યું છે કે – છકાયના જી વિષે જ્યાં સુધી દયાના પરિણામ હશે ત્યાંસુધી બકુશ નિગ્રંથ તથા પ્રતિસેવના નિગ્રંથ રહેશે, તે કારણથી હે ભવ્યજી ! પ્રવચનરહિત અને ચારિત્રબ્યુન પંચમ કાલ કદાપિ નહી હોય. વળી આજ પંચમકાલમાં સાધુ નથી, એમ જે માને છે તે વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ છે. સ્થાનાંગ સૂત્રમાં લખ્યું છે કે સાધુને બહુ અતિચાર લાગતાં દેખીને વળી તેમજ આલેયણું પ્રાયશ્ચિત કોઈને ગ્રંથાનુસારે લેતાં દેતાં નહીં દેખવાથી કોઈ એમ કહે કે હાલ કઈ સાધુ નથી એમ કથનાર ચારિત્રભેદીની વિકથાને કરનાર જાણ. આ ભારત વર્ષમાં આ કાલમાં બકુશ અને કુશીલ એ બે નિગ્રંથ છે. બાકીનાં ત્રણને વિચ્છેદ થયેલ છે. તથા ૨ ૩ વમમુનિમઃ બાર ભાવના–વંશ શિની રોજ ના તિથ્ય તાવ ઉંતિ બકુશ અને કુશળ એ બે પ્રકારના નિગ્રંથ ચાવત્ તીર્થ સુધી રહેશે. વીતરાગ વચન અતિ ગંભીર છે માટે તેમાં ભવ્યજીએ શંકા કરવી તે અનંતા દુ:ખનું કારણ છે. ઈત્યાદિ વ્યવહાર માર્ગ તીર્થંકર પ્રરૂપિત સત્ય જાણ. પં ચમ કાલે બહુલ સંસારી કૃષ્ણપક્ષીયા જીરે, વીતરાગ વચનને જ્યાં પિતાની મતિ હોય ત્યાં યુક્તિ કરી ખેંચી જાય છે, પણ પરભવમાં મહારેરવ દુઃખ ભેગવવા પડશે. વળી વીતરાગ For Private And Personal Use Only
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy