________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સંદેશ
* # # જ
આ
આપવા ........ થયો નથી. મારી હાલની સ્થિતિનો વિચાર કરશે તે નિરાંતે આહારવ્યવહાર પણ થતું નથી એટલામાં ધર્મપ્રવૃત્તિની ધમાલ જાણી શકશો. જન્મભૂમિ હોવાથી રાત્રી અને દિવસ લોકોની ઠઠ્ઠ જામી રહે છે અને તેથી તેઓને ધર્મકથા કહેવી પડે છે. અહિંથી વિહાર કરતાં નિવૃત્તિસમય સંપ્રાપ્ત થશે. તમારી જિજ્ઞાસુલાગણીને પ્રસંગે પ્રત્યક્ષમાં વિશેષતઃ સંતૃપ્ત કરીશ. ધર્મ સાધન કરશે. ધર્મકાર્ય લખશે.
પેથાપુરથી લે. બુદ્ધિસાગર. તત્ર શ્રદ્ધાવંત ભાઈ કેશવલાલ નાગજી ગ્ય ધર્મલાભ.
વિ. પત્ર વાંચી સમાચાર જાણ્યા. તમારા લખવા પ્રમાણે ઉપદેશાદિકમાં પ્રવૃત્તિ કરવાથી શુભ પરિણામ આવે તેમ નહિ લાગવાથી તેથી નિવૃત્ત થયો છું એમ અવધશે, તમો તથા તેણે યથારૂચિ પ્રવૃત્તિ કરવી. આત્માના જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરશે. જગતમાં અનુભવીઓ આત્માને જ્ઞાનાદિક ગુણોની ઉન્નતિ કરવાની આરાધનાને સારભૂત ગણે છે. એ ભવિષ્યમાં અનુભવગમ્ય થશે. ધર્મકાર્ય લખશે. . 3 શાન્તિ, રૂ
મુ. બોરસદથી સા. કેશવલાલ નાગજી યોગ્ય ધર્મલાભ. ૧ પરનું ભલું શ્રીસશુરૂ કરી શકે છે અને તે સર્વસામગ્રીના કાલમાં. ૨ તપ તપવાથી અનેક ફાયદાઓ થાય છે પણ તપનું સ્વરૂપ તે પહેલાં
સમજવું જોઈએ. તપનું સ્વરૂપ લખતાં એકગ્રન્થ થઇ જાય. ૩ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય તેમાં રસ ઉપજે એવા હેતુઓ
મળે છતે તેમની અભ્યાસમાં લગની લાગે છે. ૪ સુzઆત્માર્થી જીવ, ગુરૂભક્તિમાં દઢ હોય છે. ગુરૂના અવલંબનથી અનેકસદગુગે પ્રાપ્ત થાય છે માટે.
For Private And Personal Use Only