________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટપર
પત્ર સદુપદેશ.
મુ. માણસાથી લે .......... સુશ્રાવક શા. કેશવલાલ નાગજી તથા આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ. વિશેષ-તમારે પત્ર આવ્યો હતે. તમે જે માટે લખો છે તે બાબતમાં રૂબરૂમાં મળી ખુલાસે મેળવવાથી સમાધાન થશે. ચારે તરફનો. વ્યાવહારિક તથા નિશ્ચયનો ઉપયોગ રાખી સાધકબાધક સંબંધોની વ્યવસ્થા જેઈ અપરહિતાર્થે પ્રવૃત્તિ કરવી અને જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરવી. માગશર વદિ પાંચમ લગભગ આટલામાં થશે. પશ્ચાત યાત્રાદિમાં પ્રવૃત્તિ થાય તે થાય. સાનુકુલ અને પ્રતિકૂલ સંગ સંબંધી ખાસ લક્ષ દઈ બનતું કરવું અને વિનકારક સંબંધોથી જાગ્રત રહેવું અને અન્યોને જાગ્રત કરી પરભાવમાં ફસામણી ન થાય એવું પહેલાંથી વિચારવું અને પ્રવર્તવું. ધર્મશાધન કરશે. સાધકભાવની પુષ્ટિ થાય એવા સંયોગને કળ, બળ અને ઉપયોગથી વધારવા. ૩ ૩ રાશિતઃ રૂ
X
'
સં. ૧૮૬૮ પિશ સુદિ ૧૩.
મુ. અમદાવાદથી લે ............ સુશ્રાવક મગનલાલ.... તથા શાહ કેશવલાલ નાગજી તથા શા. આભારામ ખેમચંદ વગેરે યોગ્ય ધર્મલાભ. વિશેષ બોધ કરવા પ્રવૃત્તિ કરશે. સગ અને વિયેગશીલ પદાર્થોને સ્વભાવ અવબોધીને સમભાવે પિતાના જીવનને આનંદમય કરવા જે કાંઈ ગ્રાહ્ય હોય તે ગ્રહશે. શ્રીવીતરાગદેવે ક્ષણિકતા જડતાવાળા પદાર્થોની મમતામાં લક્ષ ન દેવાનું દર્શાવ્યું છે. આપણી જીંદગીમાં આત્મધર્મની વૃદ્ધિ થાય તેજ કર્તવ્ય ધ્યાનમાં રાખવાનું છે. આત્માના સંબંધમાં ગમે તેવા મનુષ્યો આવે તે પણ પોતાની અને તેઓની વાસ્તવિક્તાને વિવેક કરવાથી સત્યને માર્ગ ખુલ્લો દેખાય છે અને તેથી “ આવેલ ને સત્કાર દે જનારને જ વળાવજે ” એવી તટસ્થકાર્યકરણપરાય
તાની નિષ્કામબુદ્ધિ, સ્વાધિકારકૃત્યને આગળ કરે છે, પણ નિર્લેપતામાં સંગતા કરાવતી નથી અને તેથી વાસ્તવિક આનંદદશાને નાશ થતો નથી. આત્માના ગેને સ્વાધિકાર સવ્યય થાય છે તેમાં જ ફરજ છે એ નિશ્ચય થતાં દુનિયાના પદાર્થો ખરેખર આત્માને બાંધી રાખવામાં સમર્થ
For Private And Personal Use Only