________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
તેઓ ભિન્ન ભિન્ન ધર્મ પાળનારાઓને ધર્મના ખરા આચારો અને વિચારો બતાવીને તેઓની સેવા કરે છે. સત્યધર્મની ઉપાસના કરનારાઓમાં પક્ષપાત, સંકુચિત દષ્ટિ અને અન્ધશ્રદ્ધા હતી નથી. તેઓ પોતાના ધર્મથી ભિન્નધર્મીઓમાં જે કંઈ આચાર અને વિચારોમાં સત્ય રહેલું છે તેને તેઓ સત્યની દૃષ્ટિથી દેખે છે. પિતાના કુટુંબ સમાન આખી દુનિયાના છો છે એમ જેઓ આચારમાં મૂકીને બતાવવા માંગતા હોય તેઓ સત્યધર્મની પાસે જાય છે. સત્યધર્મીઓ દયા, સત્ય, પ્રમાણિક્તા, આચારશુદ્ધિ, શ્રદ્ધા ભક્તિ, વિનય, વિવેક અને ગંભીરતા આદિ ધર્મ ગુણોથી અલંકૃત હોય છે. મેહરૂપ સંતાનના દુષ્ટ વિચારો અને આચારોથી તેઓ દૂર રહે છે અને સત્ય હૃદયથી પ્રભુની ઉપાસના કરે છે. સત્યધર્મીઓ આ ભાના જ્ઞાન ચારિત્રાદિ ગુણની ઉપાસના કરે છે. ધર્મને નામે મિથ્યા ફ્લેશ, વૈર અને ભેદને તેઓ ઉભા કરતા નથી. શ્રી મહાવીર
પ્રભુના સિદ્ધાતોને અનેકાન્ત દૃષ્ટિથી વિચારે છે અને સત્ય દેખે છે. પ્રશ્ન-જૈન ધર્મનું સંરક્ષણ કરવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર–જેનેએ મહાસંધ ભેગો કરવો જોઈએ. જૈન ધર્મના સદાચાર,
માટે પૂણું લક્ષ્ય રાખવું જોઈએ અને પિતાના અધિકાર પ્રમાણે કર્તવ્ય કરવામાં આત્મવીર્ય ફેરવવું જોઈએ. ભિન્નભિન્ન ગચ્છના સાધુઓએ સંપ કરીને અમુક નિયમો ઠરાવીને જૈન ધર્મનો ઉપદેશ દેવાની શિલી એવી રીતે સ્વીકારવી કે જેથી હાલના વખતમાં જેને ધર્મનો પ્રચાર થઈ શકે. ગુરૂકુળ-જેન ધાર્મિક શાળાઓની સ્થાપ
નાઓ કરવી જોઈએ. પ્રશ્ન–ભિન્ન ભિન્ન ગચ્છના સાધુઓને પરસ્પર શી રીતે સંપ થઈ શકે?
સાધુએ તે પરસ્પર ગચ્છની સામાન્ય ભિન માન્યતાઓથી એક બીજાને મળી શકતા નથી તો તેઓ સંપ કરીને શું જૈન ધર્મના પ્રચાર માટે વિચાર કરી શકે ખરા કે? કદાપિ માને કે તેઓ મળી
શકે અને સંપ કરી શકે તો કેવી રીતે સંપ કરીને મળી શકે? ઉત્તર–જેઓના મનમાં જૈનધર્માભિમાનનો જુસ્સો છે, જે સ્વપર
શાસ્ત્રોમાં કુલ થએલા છે અને જેઓ દેશકાલની સ્થિતિ જાણી શકે છે એવા જૈન સાધુઓએ અમુક કલમોની શરતે પરસ્પર સંપ
For Private And Personal Use Only