________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन धर्म साहित्य.
( ૧૯૬૭ )
धर्मी कोण थइ शके ? પ્રશ્ન-ધમ બનવાને માટે પ્રથમ શું કરવું જોઈએ ? ઉત્તર–મનુષ્ય જ્યાં સુધી નીતિના ગુણો ધારણ કરી શકતો નથી ત્યાં સુધી તે
મનુષ્ય કહેવરાવવાને યોગ્ય નથી. દયા, સત્ય, મૈત્રી, કૃતજ્ઞતા, શુદ્ધ પ્રેમ, સેવા, ભક્તિ, પ્રમાણિકતા, સહનશીલતા, વિનય અને વિવેક વગેરે ગુણો વિનાને મનુષ્ય તે પશુ સમાન છે. મનુષ્ય જો ઉપર્યુકત મનુષ્યપણુના
ગુણો ધારણ કરે તો તે ધર્મ ધારણ કરવાને અધિકારી બની શકે છે. પ્રશ્ન–કેટલાક પિતાને ધર્મી માનતા એવા મનુષ્યોને દેખવામાં આવે છે
તો તેમનામાં પિતાનાથી વિરૂદ્ધ ધર્મવાળા મનુષ્યો તરફ પ્રેમથી વર્તન દેખવામાં આવતું નથી અને ઉલટું પોતાનાથી વિરૂદ્ધ ઘમી મનુષ્ય તરફ તિરસ્કાર, નિન્દા, દેવું અને તેમનું અશુભ ચિંતવન વગેરે દેખવામાં આવે છે. આમ પ્રાયઃ દેખવામાં આવે છે તેનું
કારણ શું હશે ? ઉત્તર–અજ્ઞતા, પક્ષપાત, સંકુચિત દષ્ટિ, અન્ધશ્રદ્ધા, અવિવેક અને જ્ઞાનદષ્ટિના વિશેષ પ્રકાશના અભાવે ધર્મી ગણાતા મનુષ્યમાં એવા
દેખવામાં આવે છે. દુનિયામાં જે ખરે ધર્મ છે તે કદિ કોઈ વિરૂદ્ધ ધર્મનો તિરસ્કાર કરવાનું જણાવતો નથી. તેમજ ભિન્ન ધર્મીઓ તરફ શુદ્ધ પ્રેમથી ન વર્તવું એમ પણ જણાવતો નથી,
સત્યધર્મી કદિ ધર્માન્ત હેત નથી. પ્રશ્ન–સત્ય ધર્મીઓનાં કેવાં લક્ષણો હોય છે ? ઉત્તર–સત્યધર્મીઓ સત્યની અનેક વ્યાખ્યાઓને જાણીને સત્યધર્મની
બાજુએ તપાસે છે. અને તેઓ કદાગ્રહનો ત્યાગ કરીને સત્યને રહે છે. જગતના સર્વ જીવોપર તેઓને આત્મબુદ્ધિ પ્રગટે છે. ભિન્ન ભિન્ન ધર્મ પાળનારાઓ પર તેઓને તિરસ્કાર થતો નથી, ઉલટું
For Private And Personal Use Only