________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पत्र सदुपदेश.
ક, સંજ્ઞાવાળો પત્ર*
મુકામ મુંબાઈ મુનિ બુદ્ધિસાગર, મુકામ પાદરા સુશ્રાવક વકીલ શા. મોહનલાલભાઈ હમચંદભાઈ ચોગ્ય ધર્મલાભ, તમારે પત્ર પહોંચ્યો. વાંચી બીના જાણુ. ભાઈશંકરને અત્યંત મંદવાડ છે તે જાણ્યું. પુત્ર રૂપે થયેલા જીવોને પણ આત્મવત દેખવા. તેમના આત્માને અમરભાવો, કારણ કે આયુષ્યની સમાપ્તિ થતાં જીવો શરીર બદલે છે, પણ આત્મા તે અન્ય ગતિમાં પણ તેને તે રહે છે. જે થાય તેમાં તટસ્થપણે દઢ બની રહેવું. વ્યવહાર દશાને સાચવવી પણ અન્તથી તો વૈર્યતા ધારણ કરવી. જે કાલે જે બનવાનું છે તે મિથ્યા થતું નથી. પિતાની કલ્પનાથી જ તે તે વસ્તુઓને વિરહ થતાં હૃદયમાં આઘાત થાય છે, પણ પિતાની કલ્પના કર્યા વિના સંસારમાં વ્યવહાર ચલાવતાં એકદમ અત્યંત મેહને ઉત્પાદ થતું નથી. જે જે વસ્તુઓ ઉત્પન્ન થઈ છે, તે તે વસ્તુઓનું રૂપાન્તર થયા વિના રહેનાર નથી. જેણે જન્મ ધાર્યો છે, તેનું રૂપાતર. થવાનું છે. બાલ્યાવસ્થાથી આ પ્રમાણે દેખતાં આવ્યા છીએ. શ્રી વિરપ્રભુ પણ એમજ જણવ્યા કરે છે. ત્યારે હવે શા માટે મનની સમાનતા તજવી જોઈએ? અલબત ન તજવી જોઈએ. જગતમાં સર્વ જીવોના ભિન્ન ભિન્ન માર્ગ છે. કોઈ કોઈનું નથી. શા માટે મમતાથી મનમાં ઓછું લાવવું જોઈએ ? અલબત્ત ઓછું ન લાવવું જોઈએ. શંકરને બનતે ઉપદેશ દઈ તેનું ભલું કરવું, સ્વાર્થને સંબંધ ન ચિંતવતાં તેની સાથે પરમાર્થને સંબંધ ચિંતવ, સર્વ જીવો કર્મના વશ છે. જે નહિ તે જોવું નહિ મેરા, વયા જા ને મેરા. આ વાક્યનું સ્મરણ કરવું અને આત્માના
–આ પત્ર વકીલ શા. મિહનલાલ હીમચંદ પાદરાવાળાને પુત્ર શંકર બહુ માં હતા તે વખતે મેહનીય કર્મના ઉદય સમાવવા માટે લખાયે છેપુત્રનું મરણ થતા પિતાને ચિન્તા થાય છે તેવા પ્રસંગે આ યંત્ર વાંચવાથી શેકદશા દૂર થઈ શકે છે.
For Private And Personal Use Only