SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ ધાર્મિક ગદ્યસંગ્રહ. འགབ་འབཀའགལ་བབཀའའའའའའ་འབབ་མམ་པ་འཁཀག་འཁ་བའགག་པ་ཐམཁ་བསམ་མའའའའབབབའགབ་ཐབཀ་ ཁབ་ཁབབབ་བལ ઉત્તમ મુનિ ખરેખર મોક્ષ અને ભવમાં સર્વત્ર નિસ્પૃહ હોય છે. સં. સાર અને મોક્ષની સ્પૃહા રહિત સમભાવે મુનિવર રહે છે. ચક્રવર્તિ, ઇન્દ્ર વગેરેની સુખની ઇચ્છા પણ નિસ્પૃહ મુનિને હેતી નથી. પોતાના સહજ સુખમાં મગ્ન એવા મુનિને પદ્ગલિક સુખની સ્પૃહા કયાંથી હોય? સમભાવમાં વર્તનાર મુનિવરને મોક્ષની સ્પૃહા ન હોય તો ભવની તે સ્પૃહા ક્યાંથી હોય ? સમભાવમાં પરિણામ પામેલા મુનિવરની ખરેખર આવી ઉત્તમ દશા હોય છે. સમભાવ ભાવિત મુનિવરનો આમા અન્તથી જુદા પ્રકારન હોય છે. સુકેલા નાળીએરના ગોળાને અને નાળીએરના છોડીને જેવો સંબંધ છે તે સંબંધ સમભાવી મુનિને અને દુનિયાના પદાર્થોને હોય છે. સમભાવી મુનિવરને કોઈ પણ જાતની ઇચ્છા, સ્પૃહા, પ્રગટતી નથી. સમભાવી મુનિવરની આવી આન્તરિક પરિણામ દશા વર્તે છે, તેને સર્વજ્ઞ વીતરાગ દેવ જાણવા સમર્થ થાય છે. જ્ઞાની સમભાવી મુનિવરની તુલના કરનાર દુનિયામાં કોઈ નથી. આવી ઉત્તમ નિસ્પૃહતાના વિચારે જેઓના મનમાં પ્રગટે છે તેવા મનુષ્યોને ધન્યવાદ ઘટે છે, અને જેઓ નિસ્પૃહતાના વિચારોને આચારમાં મૂકીને નિસ્પૃહતાની મૂર્તિ અથવા આદર્શરૂપ બને છે તેઓને અમારે નમસ્કાર થાઓ. સ્પૃહા એ આત્માને મૂળ ધર્મ નથી પણ તેતે રાગરૂપ વિભાગ પરિણામ છે. આત્માને આત્મરૂપ અવબોધ્યા પશ્ચાત્ આત્મામાં સમભાવ પરિણતિ પ્રગટવા માંડે છે અને તેથી સ્પૃહા રૂપ વિભાવ પરિણતિ સેવવા રૂચિ થતી નથી. આમા વિના અન્ય વસ્તુઓ ખરેખર જડ હોવાથી તેમાં જ્ઞાની મનિને સ્પૃહા પ્રગટતી નથી. મુકિતને પ્રાપ્ત કરનાર આત્મા છે. મુનિના આત્મામાં સમભાવની પરિણતિનું એટલું બધું ઘેન વ્યાપી જાય છે કે તેથી મુનિવર સર્વત્ર નિસ્પૃહ દષ્ટિથી દેખી શકે છે. કાયા, ઉપકરણો અને બાહ્ય પદાર્થોના સંબંધમાં છતાં પણ ઉત્તમ મુનિ ખરેખરો નિસ્પૃહ હોવાથી કોઈ પણ ઠેકાણે મૂચ્છથી બંધાતા નથી. મૂછના કુત્તો ના પુત્તે તાદ ( દશવૈકાલિક ) મૂચ્છ તેજ પરિગ્રહ છે એમ જ્ઞાત પુત્ર વાત શ્રી મહાવીર દેવે કહ્યું છે. નિસ્પૃહ મુનિવરને ગચ્છાદિક સંબંધમાં રહેતાં અને જૈન ધર્મની સેવા કરતાં છતાં પણ અન્તથી નિલેષપણું નિઃસંગપણું રહે છે. આવા મુનિની નિસ્પૃહતા જગતને અનુકરણીય છે. જગતમાં નિસ્પૃહ દશાનો પ્રકાશ થાઓ. મનુષ્ય નારકી વગેરે પર્યાને ધારણ કરનાર આત્મા તો વસ્તુતઃ એક છે. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy