________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર,
૧૪૫
સ્યાદ્વાદષ્ટિ તો અનન્ત અને વિશ્વવ્યાપક છે. સ્યાદ્વાદષ્ટિમય આત્માને કરે એટલે તમે વિશ્વના સર્વ મનુષ્યને સદવિચાર આપવા સમર્થ થશે. વર્તમાનમાં બંધાયેલી આચારની રૂઢિમાં જૈનધર્મનાં રહસ્યો સમાઈ જાય તેમ નથી, અતએ વિશાલ તત્ત્વદષ્ટિથી યોગિક ધર્માચાર અને બાહ્યવણુંચારની વ્યવસ્થાને અવલોકીને તેને સંસ્કારિત કરવા લક્ષ આપવું જોઈએ. શરીર વિના આત્મા રહી શકે નહીં અને જગતનું તથા સ્વકલ્યાણ ખરેખર મનુષ્ય શરીર વિના કરી શકે નહીં, તકત ઉપર્યુક્ત વ્યવહાર વ્યવસ્થાઓ સવે ધર્મરૂપાત્માનું શરીરભૂત છે તે છતાં તેમાં રહી અહંમમત્વ વિમુક્ત વૃત્તિઓ જેનધર્મરૂપ આત્માની ઉન્નતિ કરી શકાય છે. એ પ્રમાણે અવબોધી કર્તવ્યપરાયણ થાઓ. અન્યાવશેષ કથિતવ્ય ઘણું છે પરંતુ તે ઉપર્યુક્ત વિચારોને તદિચારમાં લીન થતાં સહેજે ધ્યાનમાં સુજશે.
ઉપર્યુક્ત ચાર વર્ગમાં વૈર–માન, પરસ્પર એક બીજાનું અશુભ કરવાની બુદ્ધિ અને તેવી પ્રવૃત્તિ, જડવાદ, પાપપ્રવૃત્તિ, દારૂ આદિ વ્યસનને પ્રચાર, અજ્ઞાનતાને પ્રચાર, સાધુસાપર દેષ, રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ, હિંસા, પાપમય મૉજ વિલાસ, કેળવણીના પ્રચારનો અભાવ, સર્વ જીવોનું શ્રેય કરવાની બુદ્ધિની મન્દતા, પરસ્પર એક બીજાની સત્તાને નાશ કરવાની પ્રવૃત્તિ, પરસ્પર એક બીજાનું શુભ, ઉદય અને ગુણો દેખીને વધતી જતી ઈર્ષ્યા અને તેથી સામાન્ય હેતુઓને લેઈ ઝગડા અને પરસ્પર ફાટફુટ, અનુષ્ઠાનમાં વધતી જતી શુષ્કતા, પરસ્પર એક બીજાના દોષોને પ્રકટ કરવાની પ્રવૃત્તિ, પરસ્પર એકબીજા વર્ગને દુઃખ દેવાની પ્રવૃત્તિ, પરસ્પર સામાન્ય મતભેદોમાં મહાવિરોધ ઉત્પન્ન કરવાની ઉદીરણું, ગંભીરતાના બદલે સુકતાની વૃદ્ધિ, પરસ્પર સમાનતા માનવાને બદલે વિષમતા, દયા, ક્ષમા, માર્દવતા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, ઉપકાર, નિષ્કામ પ્રવૃત્તિ, સાહાસ્ય, જ્ઞાનશિક્ષણ, દાન, આત્મભોગ દેવાની પ્રવૃત્તિ, સેવા, ભક્તિ, ધ્યાન, તપ વગેરે સદ્ગણોને ચારે વર્ણમાંથી અભાવ જેમ જેમ થતો જાય છે. તેમ તેમ ચારે વર્ણના ગુણ કર્મોની અવ્યવસ્થા થઈને તેનો લોપ થતો જાય છે અને દેશ, ધર્મ અને આત્મસંરક્ષણ કરવાની શક્તિોનો નાશ થતો જાય છે. પર્વતના શિખર પરથી તુટી પડેલા અને કકડારૂપ થએલ પત્થરના જેવું સર્વ પ્રકારની ઉન્નતિ છિન્નભિન્ન અવ્યવસ્થિત કાર્યો વગેરેનું છેવટે પરિણામ આવે છે અને તેથી અન્ય વિજાતીય દેશી મનુષ્યોના હસ્તે પરતંત્ર ગુલામ રહેવું પડે છે. જૈનેએ ચાર વર્ગની
For Private And Personal Use Only